• ગણેશોત્સવમાં ભારે ભીડ જોતા રેલવે ગણપતિ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો
  • અમદાવાદ-કુડાલ, અમદાવાદ-મેંગાલુરુ સુધી સ્પેશિયલ વીકલી ટ્રેનો દોડશે
  • આ સ્પેશિયલ ટ્રેનો ગુજરાતના મુખ્ય શહેરોમાંથી પસાર થશે
આગામી ગણેશોત્સવ જોતા વેસ્ટર્ન રેલવેએ ગણપતિ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનું નક્કી કર્યું છે. આ ટ્રેનો ગુજરાતના મુખ્ય શહેરોને સમાવી લેશે. ટ્રેનથી આવતા તમામ સ્ટેશન પર ગણેશજીના મહત્ત્વના ધામના દર્શનનો લ્હાવો ભક્તો લઈ શકાશે. જેથી અમદાવાદથી મેંગલુરુ તેમજ વચ્ચે આવતા તમામ નાના-મોટા મંદિરો ધરાવતા સ્ટેશનો પર આ ટ્રેનો ઊભી રહેશે. 
 
અમદાવાદ-કુડાલ સાપ્તાહિક સ્પેશિયલ (09412/09411)
ટ્રેન નંબર- 09412 અમદાવાદ-કુડાલ વીકલી સ્પેશિયલ 03, 10 અને 17 સપ્ટેમ્બર મંગળવારે અમદાવાદથી 9.30 વાગ્યે પ્રસ્થાન કરશે અને આગલા દિવસે 3.30 વાગ્યે કુડાલ પહોંચશે. આ રીતે ટ્રેન નંબર 09411 કુડાલ-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ04, 11 અને 18 સપ્ટેમ્બરે બુધવારે કુડાલથી 4.30 વાગ્યે પ્રસ્થાન કરશે અને એ દિવસે 23.45 વાગ્યે અમદાવાદ પહોંચશે.

આ ટ્રેન માર્ગમાં બંને દિશાઓમાં નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, વસઈ રોડ, પનવેલ, ખેડ, ચિપલુન, રત્નાગિરી, રાજાપુર રોડ, વૈભવ વાડી રોડ, કુડાલ, સાવંતવાડી રોડ, મડગાંવ, કારવાર, અંકોલા, ગોકર્ણ રોડ, ઉડુપી, મુલ્કી અને સુરતકલ સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનમાં એસી-3 ટિયર, સ્લીપર ક્લાસ અને જનરલ કલાસ અને સામાન્ય દ્વિતીય કલાસના કોચ હશે.


અમદાવાદ-મેંગલુરુ વીકલી સ્પેશિયલ (09424/09423)
ટ્રેન નંબર-09424 અમદાવાદ-મેંગલુરુ સાપ્તાહિક સ્પેશિયલ 66, 12 અને 20 સપ્ટેમ્બર શુક્રવારે અમદાવાદથી 4 વાગ્યે પ્રસ્થાન કરશે અને આગલા દિવસે 19.45 વાગ્યે મેંગલુરુ પહોંચશે. આ રીતે ટ્રેન નંબર 09423 મેંગલુરુ-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ 07, 14 અને 21 સપ્ટેમ્બરે શનિવારે મેંગલુરુથી 22.10 વાગ્યે પ્રસ્થાન કરશે અને સોમવારે 02.15 વાગ્યે અમદાવાદ આવશે.

આવી રીતે કરો બુકિંગ
ટ્રેનની સંખ્યા 09412 અને 09424ના બુકિંગ 28 જુલાઈથી તમામ પીઆરએસ કાઉન્ટર તેમજ IRCTC વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના સમય, રોકાણ અને ડિઝાઈન વિશે રેલવેની સત્તાવાર વેબસાઈટ પરથી મેળવી શકશો.

  • Follow us on: