• ગેસ સિલિન્ડર પર 10 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ
  • ગેસ કનેક્શન લેતાં જ ઈન્સ્યોરન્સ આપોઆપ થઈ જાય છે
  • સિલિન્ડરના ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ ગેસ એજન્સી પોતે ચૂકવે છે

ગેસ સિલિન્ડર ઘરેલું હોય કે કોમર્શિયલ, તેના વગર કામ કરવું લગભગ અશક્ય છે. દેશભરમાં કરોડો લોકો રસોઈ માટે LPG ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરે છે. લોકોને દર બીજા મહિને આની જરૂર પડે છે. સરકાર કંપનીઓને ગેસ એજન્સીઓ આપીને તેનું વિતરણ કરે છે. ગેસ સિલિન્ડરને લઈને ઘણા નિયમો છે જેના વિશે ઘણા લોકો જાણતા પણ નથી. તેવી જ રીતે, ઘણા લોકોને ખબર નથી કે ગેસ સિલિન્ડરનો પણ વીમો લેવામાં આવે છે, તેનો સીધો અર્થ એ છે કે જો ગેસ સિલિન્ડર તમને કોઈ નુકસાન પહોંચાડે છે તો તમને સરકાર તરફથી વળતર આપવામાં આવે છે.

10 લાખ રૂપિયા સુધીની સહાય

ગેસ સિલિન્ડર પર સરકાર તરફથી 10 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ છે. એટલે કે જો રસોઈ બનાવતી વખતે ગેસ સિલિન્ડર ફાટી જાય અને તમને નુકશાન થાય તો સરકાર તમને 10 લાખ રૂપિયા સુધીની સહાય આપે છે. દેશભરમાં દર વર્ષે ગેસ સિલિન્ડર વિસ્ફોટના ઘણા કિસ્સાઓ બને છે, જેમાં ઘણા લોકોના મોત થાય છે અને ઘણા લોકો ઘાયલ થાય છે. સિલિન્ડર વિસ્ફોટના કારણે ઘરને પણ ઘણું નુકસાન થયું છે. જો કે ભારતમાં આવા અકસ્માતો પછી વળતરનો દાવો કરનારા બહુ ઓછા લોકો છે.

આ કામને આપો પ્રાથમિકતા

આ સિલિન્ડર ઈન્સ્યોરન્સ થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ છે, કોઈ વ્યક્તિ તેનું ગેસ કનેક્શન લેતાં જ ઈન્સ્યોરન્સ આપોઆપ થઈ જાય છે. તેનું પ્રીમિયમ ગેસ એજન્સી પોતે ચૂકવે છે. ઈન્સ્યોરન્સ મેળવવા માટે સૌથી પહેલા તમારે પોલીસ અને ગેસ એજન્સીને તેના લીક થવા અથવા ફૂટવા અંગે જાણ કરવી પડશે. આ પછી એજન્સીના લોકો ઘટનાસ્થળે આવશે અને અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ કરશે. આ પછી એક રિપોર્ટ બનાવવામાં આવે છે, જેના આધારે વીમો આપવામાં આવે છે. એકંદરે, જો તમારા ઘરમાં ગેસ સિલિન્ડર લીક થઈ રહ્યું છે અથવા તેમાં કોઈ પ્રકારની સમસ્યા છે, તો તરત જ એજન્સીનો સંપર્ક કરો, આ કરવાથી તમે મોટી દુર્ઘટનાથી બચી શકો છો.


  • Follow us on: