જો તમે પણ ટેક્સ ઓડિટની છેલ્લી તારીખને લઈ ચિંતિત છો તો પછી આ ખબર માત્રને માત્ર તમારા માટે છે. ઈનકમ ટેક્સ વિભાગે ઓડિટ રિપોર્ટની તારીખ વધારી છે. આમાં ફેરફારની માંગ ઘણા ટેક્સપેયર્સ દ્વારા કરવામાં આવી રહી છે. જેની પર વિભાગે એવો નિર્ણય કર્યો છે. આયકર વિભાગે વર્ષ-2023-24 માટે ઓડિટ રિપોર્ટ દાખલ કરવાની તારીખ સાત દિવસ વધારી સાત ઑક્ટોબર કરી છે. પહેલા જો તમે 30 સપ્ટેમ્બર સુધી રિપોર્ટ ફાઈલ નથી કરતા તો દોઢ લાખ રૂપિયાનો દંડ લાગવાનો હતો.
વિભાગે માહિતી આપી હતી
માહિતી આપતા, આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે આવકવેરા કાયદા હેઠળ વિવિધ ઓડિટ અહેવાલોના ઇલેક્ટ્રોનિક ફાઇલિંગમાં કરદાતાઓને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને, સમયમર્યાદા 30 સપ્ટેમ્બરથી વધારીને 7 ઓક્ટોબર કરવામાં આવી રહી છે. એકાઉન્ટિંગ અને કન્સલ્ટિંગ કંપની મૂર સિંઘીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રજત મોહને જણાવ્યું હતું કે ટેક્સ ઓડિટ રિપોર્ટ ઈલેક્ટ્રોનિક રીતે ફાઈલ કરવામાં ટેકનિકલ સમસ્યાઓના કારણે સરકારે સમયમર્યાદા વધુ સાત દિવસ લંબાવવાનો નિર્ણય લેવો પડ્યો હતો.
આ કારણથી થયો ફેરબદલ
ટેક્સ ઓડિટ રિપોર્ટ ન જમા કરવા બદલ દંડ લાગી શકે છે, આમાં સવલત આપતા તારીખ વધારી ગઈ છે. 219 સપ્ટેમ્બરે જાહેર સીબીડીટી સર્કયુલરમાં કહેવામાં આવ્યું છે કે આઈટી અધિનિયમ 1961ની જોગવાઈ હેઠળ ઓડિટના જુદાજુદા રિપોર્ટને ઈલેકટ્રોનિક ફાઈલિંગમાં ટેક્સપેયર્સ અને બીજા સ્ટેક હોલ્ડર્સને આવતી સમસ્યાઓને ધ્યાનમાં રાખતા સીબીડીટીએ
ફાઈલ કરતી વેળા આ વાતોનું રાખો ધ્યાન
ટેક્સ ઓડિટ રિપોર્ટ દાખલ કરતા કેટલીક જરૂરી શરતો હોય છે. જેને ધ્યાન રાખવાનું જરૂરી હોય છે. જો તમે ફાઈલ કરવા વિશે વિચારી રહ્યા છો તો સૌથી પહેલા ચાર્ટર્ડ એકાઉન્ટેટ અને ટેક્સપેયર બંનેને પોર્ટલ પર નોંધણી હોવી જોઈએ અને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર તેઓની પાસે કાયદેસર લોગ-ઈન આઈડી અને પાસવર્ડ હોવા જોઈએ. સીએ અને ટેક્સપેયર પાસે ડિજિટલ સાઈન પણ હોવા જોઈએ. ઉપરાંત પાનકાર્ડ હોવું જરૂરી છે.