• ઈનકમ ટેક્સ વિભાગે ફરી એકવાર પાન કાર્ડ ધારકોને એલર્ટ કર્યા
  • 31 માર્ચ સુધીમાં પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું
  • પાન કાર્ડને આધાર સાથે લિંક કરવા 1000 હજાર રૂપિયા ચૂકવવા પડશે
ઈનકમ ટેક્સ વિભાગે ફરી એકવાર પાન કાર્ડ ધારકોને એલર્ટ કર્યા છે. વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે, 1 એપ્રિલથી ઘણા પાન કાર્ડ બંધ થઈ જશે એટલે કે 31 માર્ચ સુધીમાં તમારે પાન કાર્ડને આધાર સાથે લિંક કરવું જોઈએ. જો તમે 1 એપ્રિલથી આ પાન કાર્ડનો ઉપયોગ કરો છો તો ઈનકમ ટેક્સ વિભાગ તમારા પર 10,000 રૂપિયાનો દંડ લગાવી શકે છે. હાલમાં પાન કાર્ડને આધાર સાથે લિંક કરવા માટે તમારે 1000 હજાર રૂપિયા ચૂકવવા પડશે. જો તમારું PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જશે તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે.
1000 રૂપિયા ભરીને 10,000 રૂપિયાનો દંડ ટાળો
તમે 1000 રૂપિયાનું ઈનવોઈસ જમા કરીને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો. તમને જણાવી દઈએ કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) 30 જૂન 2022થી લેટ ફી વસૂલ કરી રહ્યું છે. ઈનકમ ટેક્સ વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે, જે લોકો ઈનકમ ટેક્સ અધિનિયમ, 1961 મુજબ મુક્તિની શ્રેણીમાં આવતા નથી. તેમના પાન કાર્ડ 1 એપ્રિલથી નિષ્ક્રિય થઈ જશે.
આ રીતે 10 હજાર રૂપિયાનો દંડ થશે
જો તમારું PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જાય તો તમે તેનો ઉપયોગ મ્યુચ્યુઅલ ફંડ અથવા સ્ટોક એકાઉન્ટ માટે નહીં કરી શકો. આ સિવાય જો તમે આ કાર્ડનો ઉપયોગ ક્યાંક દસ્તાવેજ તરીકે કરો છો તો તમને 10,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, ઈન્કમ ટેક્સ વિભાગ ઈન્કમ ટેક્સ એક્ટ 1961ની કલમ 272B હેઠળ તમારી પાસેથી 10,000 રૂપિયા વસૂલ કરી શકે છે.
આ સરળ રીતે પાન કાર્ડ લિંક કરો
1.તમે ઘરે બેઠા જ પાન કાર્ડને આધાર સાથે લિંક કરી શકો છો
2.આવકવેરા વિભાગની ઈ-ફાઈલિંગ વેબસાઈટની મુલાકાત લો
3.અહીં તમે પાન કાર્ડને આધાર નંબર સાથે લિંક કરી શકો છો
4. આ પછી તમારે તમારી માહિતી દાખલ કરવાની રહેશે. જેમ કે પોતાનું નામ અને જન્મ તારીખ
5. જો તમારા આધાર કાર્ડમાં જન્મતારીખ તરીકે માત્ર 1985 લખેલું હોય, તો બોક્સ પર જમણું ચિહ્ન મૂકો
6.ચકાસવા માટે કેપ્ચા કોડ દાખલ કરો
7. આ પછી તમને Link Aadhaar લખેલું દેખાશે, તેના પર ક્લિક કરો
8. આ રીતે તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થઈ જશે.


  • Follow us on: