- ગત વર્ષે માલદીવ જનાર પર્યટકોમાં સૌથી વધુ ભારતીયો
- ઓનલાઈન ટ્રેવલ કંપનીએ માલદીવ જતી તમામ ફલાઈટનું બુકિંગ કેન્સલ કર્યું
- ભારતના દિગ્ગજ કલાકારો, બિઝનેસમેન દ્વારા વિરોધ કરાયો
માલદીવના ત્રણ મંત્રીઓએ પીએમ મોદી વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી. જો કે બાદમાં માલદીવ સરકારે રવિવારે એ મંત્રીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા. પરંતુ માલદીવના મંત્રીઓની કરતૂત પછી ભારતમાં જે માલદીવ વિરુદ્ધ વાતાવરણ સર્જાયું છે તેમાં માલદીવની ઈકોનોમીને મોંઘું પડશે. ભારતની મોટી ઓનલાઈન ટ્રેવલ એજન્ટે માલદીવની તમામ ફલાઈટની બુકિંગ સસ્પેન્ડ કરી દીધી છે. ભારતના દિગ્ગજ લોકો પણ વિરોધ કરી રહ્યા છે. આવામાં ભારતી પર્યટકોએ માલદીવ તરફ જવાનું છોડી દેશે તો માલદીવની ઈકોનોમીને ભારે પડવાનું નક્કી. કારણ કે, ત્યાં સૌથી વધુ વિદેશી પર્યટકો ભારતથી જ જતા હોય છે.
દેશની અગ્રણી ઑનલાઈન ટ્રેવલ એજન્સી ઈઝી માય ટ્રિપના કૉ-ફાઉન્ડર અને સીઈઓ નિશાંત પિટ્ટીએ ટવિટ કરી માલદીવ જતી આવતી તમામ વિમાન સેવાના બુકિંગ કેન્સલ કરવાની સોશિયલ મીડિયા પર જાહેર કર્યું હતું. આ સિવાય અન્ય એજન્સીઓ પણ આવી જાહેરાત કરી શકે છે.













