કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન ડિસઈન્વેસ્ટમેન્ટના લક્ષ્યાંકો હાંસલ કરવા અને નોન-ટેક્સ રેવન્યુ વધારવા માટે ફરી એક્શન મોડમાં આવી છે. સરકાર દેશની ચાર મોટી જાહેર ક્ષેત્રની કંપનીઓ—IRCTC, હિન્દુસ્તાન ઝિંક, મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ (MDL) અને હિન્દુસ્તાન કૉપરમાં ઓફર ફોર સેલ (OFS) મારફતે પોતાની ભાગીદારી વેચવાની તૈયારી કરી રહી છે.
હિન્દુસ્તાન ઝિંક અને કોપરનું નામ ટોપ પર
મળતી માહિતી મુજબ, હિન્દુસ્તાન ઝિંકમાં આશરે 1.5 ટકા જ્યારે હિન્દુસ્તાન કૉપર, MDL અને IRCTCમાં લગભગ 5-5 ટકા હિસ્સો વેચવાની યોજના છે. જોકે અંતિમ હિસ્સો અને ટ્રાન્ઝેક્શનનું કદ બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને નક્કી થઈ શકે છે. હિન્દુસ્તાન ઝિંક અને હિન્દુસ્તાન કૉપરને સરકારની પ્રાથમિકતા યાદીમાં સૌથી ઉપર રાખવામાં આવ્યા છે. આ ચારેય ટ્રાન્ઝેક્શન માટે મર્ચન્ટ બેન્કરોની નિમણૂક થઈ ચૂકી છે. માત્ર ગયા મહિને જ હિન્દુસ્તાન ઝિંક, હિન્દુસ્તાન કૉપર, MDL અને IRCTC સહિત પાંચ કંપનીઓ માટે મર્ચન્ટ બેન્કરોની નિમણૂક કરવામાં આવી હતી. તેનાથી સરકાર મોટા પાયે ડિસઇન્વેસ્ટમેન્ટની તૈયારી કરી રહી હોવાના સંકેત મળે છે.
