શેરબજાર સપ્તાહના અંતિમ દિવસ શુક્રવારના રોજ ઘટાડા સાથે બંધ થયું. સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો લાલ નિશાન સાથે બંધ થતા રોકાણકારો નિરાશ થયા. બજાર બંધ થવાના સમયે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો જોવા મળ્યો. 3.30 વાગ્યે બજાર બંધ થયું ત્યારે સેન્સેક્સ −105.18 (0.14%)પોઈન્ટ ઘટી 74,254.83ના અંકે બંધ થયો. જયારે નિફ્ટી −45.50 (0.19%)પોઈન્ટ ઘટી 23,371.05ના સ્તર પર બંધ થયો. બજારના આરંભે તેજી જોવા મળી હતી. બાદમાં RBIની જાહેરાતથી રોકાણકારો નિરાશ થયા અને બજારમાં ઘટાડાનું વલણ દેખાયું.
RBIના નિર્ણયથી બજાર પર નકારાત્મક અસર
RBI દ્વારા મોનેટરી પોલિસી રેપો રેટ 5.25% પર સ્થિર કરવાની જાહેરાત કર્યા પછી ભારતીય શેરબજારોમાં ભારે ઘટાડો થયો. નિફ્ટી અને સેન્સેક્સ બંને 800 પોઈન્ટથી વધુ ગગડ્યા, જેમાં મેટલ, IT અને બેંકિંગ શેરોમાં વેચવાલીનો દોર ચાલુ રહ્યો. રેપો રેટમાં કોઈ ફેરફાર ન થયો હોવા છતાં, નાણાકીય વર્ષ 2027 માટે ફુગાવાનો અંદાજ વધારીને 5.1% કરવામાં આવ્યો છે, જેની બજાર પર નકારાત્મક અસર પડી છે. આરબીઆઈના નિવેદન બાદ, વિપ્રો, ટાટા સ્ટીલ, હિન્ડાલ્કો અને જેએસડબ્લ્યુ સ્ટીલના શેર નિફ્ટી પર ભારે તૂટ્યા.










