UPIનો ઉપયોગ કરનારા લોકો માટે આ મહત્વની માહિતી છે. 15 ઓક્ટોબર 2026થી કેટલાક મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર નવું મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) ફ્રેમવર્ક લાગુ થશે. આ અંતર્ગત તમામ વેપારીઓ માટે એકસરખો ચાર્જ નહીં હોય. MDRનો દર વેપારી કયા સેક્ટર અથવા કેટેગરીમાં કામ કરે છે તેના પર નિર્ભર રહેશે. જોકે, નવા MDR નિયમનો અર્થ એ નથી કે દર વખતે UPIથી પેમેન્ટ કરવા પર ગ્રાહકને ચાર્જ ચૂકવવો પડશે. આ ચાર્જ કેટલાક ખાસ મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર લાગુ થશે. સામાન્ય UPI પેમેન્ટ માત્ર એટલા માટે ચાર્જેબલ નહીં બને કે તે UPI દ્વારા કરવામાં આવ્યું છે.

  1. મિત્રો અને પરિવારને પૈસા મોકલવા જો તમે UPI દ્વારા તમારા મિત્રો અથવા પરિવારના સભ્યોને પૈસા મોકલો છો, તો આ પેમેન્ટ ફ્રી રહેશે. વ્યક્તિથી વ્યક્તિ એટલે કે પર્સન-ટુ-પર્સન (P2P) ટ્રાન્સફર પર કોઈપણ રકમ માટે MDR ચાર્જ લાગશે નહીં.
  2. બેંક ખાતામાં પૈસા મેળવવા તમારા બેંક ખાતામાં UPI દ્વારા પૈસા મેળવવા પર પણ કોઈ MDR ચાર્જ ચૂકવવો પડશે નહીં. એટલે કે જો કોઈ વ્યક્તિ તમને UPIથી પૈસા મોકલે છે, તો પૈસા રિસીવ કરવા માટે તમારી પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં.
  3. નાના દુકાનદારોને પેમેન્ટ નાના દુકાનદારો અને લારી-ગલ્લાવાળાઓને પણ MDRમાં રાહત મળશે. Person-to-Person-Merchant (P2PM) કેટેગરી હેઠળ UPI QR કોડથી દર મહિને 1 લાખ રૂપિયા સુધીનું પેમેન્ટ પ્રાપ્ત કરતા નાના વેપારીઓના તમામ ટ્રાન્ઝેક્શન પર ઝીરો ચાર્જ રહેશે.
  4. 2,000 રૂપિયા સુધીની ખરીદી કોઈપણ વેપારીને 2,000 રૂપિયા સુધીનું પેમેન્ટ કરવા પર MDR ચાર્જ લાગશે નહીં. પર્સન-ટુ-મર્ચન્ટ (P2M) કેટેગરીમાં 2,000 રૂપિયા સુધીના તમામ ટ્રાન્ઝેક્શન MDRથી મુક્ત રહેશે.
  5. મોટા દુકાનદારો પાસેથી 2,000 રૂપિયાથી ઓછી ખરીદી જો તમે કોઈ સામાન્ય અથવા મોટા દુકાનદાર પાસેથી 2,000 રૂપિયાથી ઓછી ખરીદી કરો છો, તો MDR ચાર્જ લાગશે નહીં. જ્યારે 2,000 રૂપિયાથી વધુના કેટલાક પેમેન્ટ પર 0.4% MDR લાગુ થઈ શકે છે. આ સ્થિતિમાં ચાર્જ વેપારીએ ચૂકવવાનો રહેશે, ગ્રાહકે નહીં.
  6. UPI AutoPay UPI AutoPay દ્વારા સબ્સ્ક્રિપ્શન અથવા બિલની વારંવાર ચુકવણી કરવાની સુવિધા પણ MDR ચાર્જથી મુક્ત રહેશે. એટલે કે રેગ્યુલર ઓટો પેમેન્ટ સેટ કરવા પર MDR ચાર્જ લાગશે નહીં.
  7. જરૂરી સેવાઓ માટે પેમેન્ટ રેલવે, ટેલિકોમ, ઈન્સ્યોરન્સ, ઈંધણ અને એગ્રીકલ્ચર ઇનપુટ જેવા જરૂરી અને ઓછા નફાવાળા સેક્ટરમાં 2,000 રૂપિયાથી ઓછાના પેમેન્ટ પર MDR લાગશે નહીં. આ સેવાઓ સાથે જોડાયેલા નાના ટ્રાન્ઝેક્શનને ઝીરો MDRના દાયરામાં રાખવામાં આવશે.

આ પણ વાંચો: UPI ચાર્જ પર મોદી સરકારના સમર્થનમાં ઉમર અબ્દુલ્લા, કહ્યું- કેમ યોગ્ય છે નિર્ણય