વૈશ્વિક નાણાકીય ટેકનોલોજી કંપની Intuit એ તેના વૈશ્વિક કાર્યબળના 17% લોકોની છટણી કરી છે.
શું કર્મચારીઓને AIથી ખતરો ?
કંપનીનો ધ્યેય, સંગઠનાત્મક જટિલતા ઘટાડવાનો અને કામગીરીમાં સુધારો કરવાનો છે. આ સંદર્ભમાં, Intuit તેના સંસાધનોને AI આધારિત ટેકનોલોજી તરફ ખસેડી રહ્યું છે. કંપનીએ તાજેતરમાં OpenAI અને Anthropic જેવી કંપનીઓ સાથે કરારો પર હસ્તાક્ષર કર્યા છે. જેથી AIને તેના નાણાકીય અને કર સોફ્ટવેર, જેમ કે, TurboTax અને QuickBooksમાં એકીકૃત કરી શકાય. જોકે, કંપનીના સીઈઓએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, છટણીનો હેતુ કર્મચારીઓને AI સાથે બદલવાનો નથી, પરંતુ કંપનીની કાર્યક્ષમતા વધારવાની વ્યૂહાત્મક ઝુંબેશનો ભાગ છે.
અસરગ્રસ્ત કર્મચારીઓને શું મળશે?
યુએસમાં આ છટણીથી પ્રભાવિત કર્મચારીઓને 16 અઠવાડિયાનો મૂળ પગાર મળશે. જેમાં દરેક સેવા વર્ષ માટે વધારાના બે અઠવાડિયાનો પગાર મળશે. Intuitની વૈશ્વિક છટણી ભારત પર પણ અસર કરશે, ખાસ કરીને બેંગલુરુ, જે કંપનીના વૈશ્વિક કેન્દ્રોમાંનું એક છે. પ્રોડક્ટ ડેવલપમેન્ટ, એન્જિનિયરિંગ અને ડેટા સાયન્સમાં મોટી ટીમો અહીં કામ કરે છે, તેથી આ ઓફિસોમાં પણ કેટલીક ભૂમિકાઓ દૂર થઈ શકે છે. Intuit રેનો, નેવાડા અને વુડલેન્ડ હિલ્સ, કેલિફોર્નિયામાં તેની ઓફિસો પણ બંધ કરી રહ્યું છે. કંપનીએ આ છટણીની જાહેરાત તે જ દિવસે કરી હતી જ્યારે મેટાએ 8 હજાર લોકોને છટણી કરવાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચોઃ ઈરાન સંકટ વચ્ચે પુતિન-શી જિનપિંગે અમેરિકી પ્રભુત્વને આપ્યો પડકાર
