• કર્મચારીના અયોગ્ય વ્યવહાર માટે બેંકિંગ લોકપાલને કરો ફરિયાદ
  • ટોલ ફ્રી નંબર 14448 છે તેની પર ફરિયાદ કરી શકાય છે
  • ઓનલાઈન વેબસાઈટ પર પણ કરી શકાય છે ફરિયાદ

બેંકની સાથે જોડાયેલા કામ કાજ માટે અનેકવાર બ્રાંચ જવું પડે છે. બેંકમાં કર્મચારીના મોડા આવવાના અનેક કિસ્સા જોવા મળે છે. અનેકવાર બેંક જતી સમયે કર્મચારી લંચ બાદ આવવા માટે કહે છે. અનેકવાર લંચ બાદ કલાકો સુધી કામ માટે તેમની રાહ જોવી પડે છે. જો તમે પણ આવી મુશ્કેલી અનુભવો છો તો તમારે તેમની ફરિયાદ નોંધાવવી જોઈએ. RBIએ આ માટે કેટલાક નિયમો પણ બનાવ્યા છે.

કર્મચારીનો અમાનવીય વ્યવહાર

અનેકવાર કર્મચારી કામને શોધવાની કોશિશ કરો છો. પણ ત્યારે જ થઈ શકશે જ્યારે અધિકારોને વિશે જાણકારી હશે. ગ્રાહકોને બેંક સેવાઓની સાથે જોડાયેલા અધિકાર મળ્યા છે જેની જાણકારીના અભાવમાં તમે તેનો લાભ લઈ શકતા નથી. બેંકમાં ગ્રાહકોને અનેક એવા અધિકાર મળે છે જેની કસ્ટમર્સને પણ જાણ હોતી નથી. આ કારણે બેંક કર્મચારીઓ તેમને પરેશાન કરે છે. ગ્રાહકોની સાથે બેંકનો યોગ્ય વ્યવહાર હોવો જરૂરી છે. રિઝર્વ બેંક એટલે કે RBIના નિયમ અનુસાર ગ્રાહકો સાથે ઉચિત વ્યવહાર નહીં હોવા પર બેંકિંગ લોકપાલને ફરિયાદ કરી શકાય છે. આ સાથે સમસ્યાનું સમાધાન પણ મળી શકે છે. તો જાણો ગ્રાહકોના અધિકાર વિશે.


બેંક ગ્રાહકોની પાસે છે અનેક અધિકાર

- જો કોઈ બેંક કર્મી તમારા કામને કરવા માટે લેટ -લતીફી કરે તો કે ટાળવાની કોશિશ કરે તો તમે તે બેંકના મેનેજર કે નોડલ ઓફિસરને ફરિયાદ કરી શકો છો.

- ગ્રાહકોની ફરિયાદને ઉકેલવા માટે લગભગ દરેક બેંકના ગ્રીવેસ રિડ્રેસલ ફોરમ હોય છે. જ્યાં તમે તમારી ફરિયાદનું સમાધાન મેળવી શકો છો.

ક્યાં કરશો ફરિયાદ

તમે જે પણ બેંકના ગ્રાહક હોવ તે બેંકના ગ્રીવેસ રિડ્રેસલ નંબરને લઈને સંબંધિત કર્મચારીને ફરિયાદ કરી શકો છો. આ સિવાય તમે બેંકના ટોલ ફ્રી નંબર પર પણ કોલ કરી શકો છો. કેટલીક બેંક ઓનલાઈન ફરિયાદ નોંધવાની સુવિધાઓ પણ આપે છે. જેમકે ભારતીય સ્ટેટ બેંકના ગ્રાહકો કોઈ પણ શાખાના કર્મચારીની ફરિયાદ ટોલ ફ્રી નંબર 1800-425-3800 /1-800-11-22-11 પર કરી શકાય છે. જો તમે પંજાબ નેશનલ બેંકના ગ્રાહક છો તો બેંકના કસ્ટમર કેયર નંબર કે અપીલેટ ઓથોરીટી સાથે સંપર્ક કરી શકો છો.


બેંકિંગ લોકપાલમાં કરો ફરિયાદ

  • આ સિવાય તમે બેંકિંગ લોકપાલની પાસે બેંકના કર્મચારીની ફરિયાદ કરવા ઈચ્છો છો તો તમે કોલ કરીને કે પછી ઓનલાઈન પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો.
  • આ સિવાય તમે વેબસાઈટ પર જઈને પણ ફરિયાદ કરી શકો છો. આ માટે તમારે https://cms.rbi.org.in પર લોગઈન કરવાનું રહેશે.
  • પછી File A Complaint પર જાઓ.આ સિવાય [email protected] પર મેલ કરો અને તમારી સમસ્યા નોંધો.
  • બેંકના ગ્રાહકોની ફરિયાદના નિરાકરણ માટે ટોલ ફ્રી નંબર 14448 છે, તમે તેની પર પણ કોલ કરીને ફરિયાદ કરી શકો છો.  

  • Follow us on: