• ભારત થાકતું નથી, અટકતું નથી અને હારતું નથી
  • શેરબજારમાં રિલાયન્સના શેરમાં આવ્યો વધારો
  • અંબાણીએ ચંદ્રયાન-3ની સફળતા વિશે પણ વાત કરી

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આજે 46મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ અને સાથે જ ચેરમેન મુકેશ અંબાણીએ સંબોધન કર્યું. આ એજીએમ દરમિયાન કેટલીક મહત્ત્વની જાહેરાતો મુકેશ અંબાણીએ કરી. જેમાં ખાસ કરીને JIO પર વધારે ફોકસ રાખવામાં આવ્યું હતું. એજીએમની મહત્ત્વની જાહેરાતની વાત કરીએ તો  ડિસેમ્બર 2023 સુધીમાં સમગ્ર ભારતમાં જિઓની 5જી સેવાઓ શરૂ કરાશે. તો બેઠક શરૂ થતાં જ RILના શેરમાં ઘટાડો, Jio Financial Servicesના શેરમાં વધારો જોવા મળ્યો. તેઓએ કહ્યું કે Jio Airfiber 19 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના દિવસે લોન્ચ કરાશે. આ સાથે જ હવે ઈશા-આકાશ અને અનંત અંબાણી પણ બોર્ડમાં જોડાશે. આ સિવાય નીતા અંબાણી બોર્ડથી અલગ હશે.


મુકેશ અંબાણીએ પોતાના સંબોધનની શરૂઆત 15 ઓગસ્ટ, 2023ના રોજ લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા સંદેશનો ઉલ્લેખ કરીને કરી. તેઓએ કહ્યું કે ભારત થાકતું નથી, અટકતું નથી અને હારતું નથી. આ સાથે તેમણે ચંદ્રયાન-3ની સફળતા વિશે પણ વાત કરી. તેઓએ એમ પણ કહ્યું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેના ગ્રહ, પૃથ્વી, દેશ અને કંપનીના તમામ રોકાણકારોનું ધ્યાન રાખે છે. નવી રિલાયન્સ ભારતના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે. 

ડિસેમ્બર 2023 સુધીમાં સમગ્ર ભારતમાં Jioની 5G સેવાઓ

ડિસેમ્બર 2023 સુધીમાં, Jioની 5G સેવાઓ સમગ્ર ભારતમાં ઉપલબ્ધ થશે. UPI પેમેન્ટ પણ Jio Bharat દ્વારા લંબાવવામાં આવશે. Jio નો ઉપયોગ કરવાથી દરેક ભારતીયનો આત્મવિશ્વાસ વધશે કારણ કે તે નવા ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ લેનાર પ્રથમ વ્યક્તિ હશે.

RILના શેરમાં ઘટાડો, Jio Financial Servicesના શેરમાં વધારો

RILની AGM દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં 0.21 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. બીજી તરફ Jio ફાઇનાન્શિયલ સર્વિસિસનો શેર 1.03 ટકાના વધારા સાથે રૂ.217 પર ટ્રેડ કરી રહ્યો હતો.

Jio AirFiber લૉન્ચ ડેટ થઈ જાહેર

મુકેશ અંબાણીએ કહ્યું કે Jio Airfiber માટે દરરોજ 150,000 કનેક્શન આપી શકાય છે. તેના લોન્ચિંગની તારીખની જાહેરાત કરતા તેમણે કહ્યું કે Jio Airfiber 19 સપ્ટેમ્બરે લોન્ચ થશે. આ દિવસે ગણેશ ચતુર્થી પણ છે.

 

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો CSR ખર્ચ વધ્યો

મુકેશ અંબાણીએ કહ્યું કે નાણાકીય વર્ષ 2023માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો એબિટડા 1.53 લાખ કરોડ રૂપિયા રહ્યો છે. FY2023માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો કોન્સોલિડેટેડ પ્રોફિટ રેકોર્ડ રૂ. 9.74 લાખ કરોડ રહ્યો છે. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીનો ખર્ચ રૂ. 1271 કરોડ થયો છે.

ઈશા-આકાશ અને અનંત અંબાણી બોર્ડમાં જોડાશે


રિલાયન્સ એજીએમ 2023ને સંબોધતા મુકેશ અંબાણીએ ગ્રુપના બોર્ડમાં નોંધપાત્ર ફેરફારોની પણ જાહેરાત કરી હતી. રિલાયન્સે રેગ્યુલેટરને આપેલી માહિતી વિશે જણાવ્યું કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીની બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂકને મંજૂરી આપી દીધી છે. આ નિમણૂક શેરધારકોની મંજૂરીથી જ અસરકારક બનશે. આ સિવાય નીતા અંબાણી બોર્ડથી અલગ હશે.

Jio Bharat મોબાઇલ બદલશે ભારત!

Jio એ ફક્ત 999 રૂપિયામાં 'Jio ભારત' ફોન લૉન્ચ કરીને ભારતના દરેક ઘર સુધી મોબાઈલ પહોંચાડવાનું કામ કર્યું છે.

Jio પોસ્ટપેઈડ ગ્રાહકોની પ્રથમ પસંદગી છે

Jio પાસે દેશમાં 85 ટકા 5G સેવા છે, જે એક મોટી ઉપલબ્ધિ છે. આ સિવાય Jio પાસે પોસ્ટપેડ ગ્રાહકોની સૌથી વધુ સંખ્યા છે.


ડિસેમ્બર સુધીમાં દેશભરમાં 5G રોલઆઉટ

Jio 5G ઑક્ટોબરના છેલ્લા મહિનામાં રોલઆઉટ કરવાનું શરૂ કરશે અને ડિસેમ્બર 2023 સુધીમાં તે દેશભરમાં રોલઆઉટ થઈ જશે. Jio પાસે દેશમાં 85 ટકા 5G સેવા છે, જે એક મોટી ઉપલબ્ધિ છે.

 

Jio માટે રૂ. 1 લાખ કરોડના રોકાણનો લક્ષ્યાંક
RILના CMD મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે કંપની Jio માટે 1 લાખ કરોડ રૂપિયાના રોકાણનો લક્ષ્યાંક ધરાવે છે. Jio એ ન્યૂ ઈન્ડિયાના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનું પ્રતીક છે અને તેણે તેના ધ્યેય તરફ મોટા કદમ ઉઠાવ્યા છે. Jio 5G નું રોલઆઉટ એ વિશ્વની કોઈપણ કંપની દ્વારા સૌથી ઝડપી 5G રોલઆઉટ છે. રિલાયન્સ એજીએમ સંબોધન દરમિયાન, જ્યારે મુકેશ અંબાણીએ Jio 5G વિશે વાત કરી, ત્યારે તેમણે કહ્યું કે જ્યારે 2016 માં 4G લોન્ચ કરવામાં આવ્યું હતું, તે સમયે તેણે વૈશ્વિક કંપનીઓ સાથે જોડાણ કર્યું હતું, પરંતુ 5G રોલઆઉટ સંપૂર્ણપણે ઇનહાઉસ છે અને કેન્દ્ર સરકારના આત્મનિર્ભર ભારતના આધારે લોન્ચ કરાયું છે.


ભારત વર્ષ 2047 સુધીમાં વિકસિત દેશ બની જશે
મુકેશ અંબાણીએ કહ્યું કે દેશ ઝડપથી આર્થિક પ્રગતિ કરી રહ્યો છે. એવી અપેક્ષા છે કે વર્ષ 2047 સુધીમાં ભારત સંપૂર્ણ વિકસિત દેશ બની જશે.

મુકેશ અંબાણીએ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો કરાવ્યો પરિચય
કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો પરિચય કરાવ્યો. આમાં કેવી કામત, કેવી ચૌધરી, અરુંધતિ ભટ્ટાચાર્ય, નીતા મુકેશ અંબાણીનો પરિચય કરાવ્યો.

  • Follow us on: