• નીતા અંબાણીએ પુત્રના લગ્નનું આમંત્રણ પણ બાબાના ચરણોમાં અર્પણ કર્યું
  • નીતા અંબાણીની સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી હતી
  • નીતા અંબાણી બાબાના દર્શન કર્યા બાદ ગંગા આરતી લઈને તેઓ ઉત્સાહિત દેખાયા

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12મી જુલાઈના રોજ છે. દેશ-વિદેશમાં દરેકની નજર આ શાહી લગ્ન પર ટકેલી છે. આ લગ્ન મુંબઈમાં ધામધૂમથી થશે. જેમના આમંત્રણને લઈને મુકેશ અંબાણીના પત્ની અને રિલાયન્સ ફાઉન્ડેશનના સંસ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણી કાશી વિશ્વનાથની મુલાકાતે પહોંચ્યા છે. પોતાના પુત્રના લગ્નનું આમંત્રણ પણ બાબાના ચરણોમાં અર્પણ કર્યું અને આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન નીતા અંબાણીની સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી હતી.

ગુલાબી સાડીમાં સુંદર લાગ્યા નીતા અંબાણી

આ પ્રસંગે નીતા અંબાણી ગુલાબી રંગની સાડી અને ગળામાં મોતીથી જડાયેલો લાંબો હાર પહેરેલા જોવા મળ્યા હતા. આ સાથે રાઉન્ડ ઈયરિંગ્સ તેના લુકમાં ઉમેરો કરી રહી છે. નીતા અંબાણીએ આ દરમિયાન મીડિયા સાથે વાત કરી અને અહીં આવવાનું કારણ પણ જણાવ્યું અને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા.

પુત્રના લગ્નનું આમંત્રણ

નીતા અંબાણીએ વાતચીતમાં કહ્યું હતું કે તે અનંત અને રાધિકાના લગ્નનું આમંત્રણ બાબાને સમર્પિત કરશે અને તેમના આશીર્વાદ લેશે. બાબાના દર્શન કર્યા બાદ ગંગા આરતી લઈને તેઓ ઉત્સાહિત હતા.

વિશ્વનાથ ધામ સાથે જૂનો લગાવ

નીતા અંબાણી કાશી પહોંચતાની સાથે જ તેમની આસપાસ ચુસ્ત સુરક્ષા ઘેરો દેખાતો હતો. નીતા અંબાણીએ પણ હાથ જોડીને સૌનું અભિવાદન કર્યું હતું. તમને જણાવી દઈએ કે, અંબાણી પરિવારને કાશી વિશ્વનાથ ધામ સાથે ખૂબ જૂનો લગાવ છે. બાબા વિશ્વનાથની પૂજા કરવા માટે અંબાણી પરિવાર ઘણી વખત કાશી આવી ચૂક્યો છે. કોકિલા બેન પણ કાશીમાં પૂજા કરવા આવ્યા હતા.

  • Follow us on: