ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જમાં અરાજકતાનો માહોલ જોવા મળ્યો છે. ગઈકાલે પાકિસ્તાનના કારચી શેરબજારમાં મોટા ઘટાડો થયો હતો અને આજે પાકિસ્તાનમાં લાહોર અને કરાચી જેવા પ્રખ્યાત શહેરોમાં વિસ્ફોટને પગલે કરાચી શેરબજારમાં મોટો હડકંપ મચ્યો છે. કરાચી શેરબજામાં મોટો 7 ટકાનો ઘટાડો થયા બાદ ટ્રેડીંગ કારોબાર બંધ કરવામાં આવ્યો છે.
ગુરુવારે, અઠવાડિયાના ચોથા દિવસે, એક્સચેન્જ 7 ટકા ઘટ્યો. પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે સ્ટોક એક્સચેન્જમાં વેપાર બંધ થઈ ગયો. તમને જણાવી દઈએ કે મંગળવારે રાત્રે ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાનમાં ઘૂસીને નવ આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો, જેમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અને તેમના ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે.










