આજે 25 એપ્રિલ બપોરે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ઘટાડો નોંધાયો છે. અઠવાડિયાના પાંચમાં દિવસે સેન્સેક્સ 589 (0.74%) પોઈન્ટ ઘટીને 79.200 પર બંધ થયો. બીજી તરફ, નિફ્ટી -207.35 (0.86%) પોઈન્ટ ઘટીને 24,039.35 પર બંધ થયો
માર્કેટ ઘટવાના 3 મોટા કારણો
પહેલું કારણ: ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા દિવસે બેંકિંગ શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. બેંક નિફ્ટી, નિફ્ટી પ્રાઇવેટ બેંક અને પીએસયુ બેંક સૂચકાંકોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ઈન્વેસ્ટરો આ સમયે બેંકો વિશે સૌથી વધુ ચિંતિત છે.
બીજું કારણ: પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. ભારતે સિંધુ જળ સંધિ અટકાવી દીધી અને રાજદ્વારી સંબંધો ઘટાડી દીધા. જેની અસર બજાર પર જોવા મળી.
ત્રીજું કારણ: નિષ્ણાતો મે મહિના અંગે પણ સાવધાની રાખવાની સલાહ આપી રહ્યા છે. શેરબજારમાં મે મહિનાની શરૂઆત સાથે, ફરી એક વાર પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું આ વખતે "મે મહિનામાં વેચો અને દૂર જાઓ" ફોર્મ્યુલા કામ કરશે કે પછી તેજીવાળા બજારને ફરીથી ઉપર લઈ જશે? જો તમે ટ્રેડિંગ કે રોકાણ કરો છો, તો આ રિપોર્ટ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.