• પશ્ચિમ રેલવે સાબરમતી અને હરિદ્વાર વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવશે
  • મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન ચલાવવાનો નિર્ણય
  • ટ્રેનના સંચાલનથી ઉનાળાની રજાઓમાં લોકોને ઘણી સુવિધા મળશે

ઉનાળાની રજાઓ શરૂ થતાં જ ટ્રેનામાં ભારે ભીડ જોવા મળી રહી છે. રેલવે મુસાફરોની સુવિધા માટે ભારતીય રેલવે સતત સમર સ્પેશિયલ ટ્રેનો ચલાવી રહી છે. આ શ્રેણીમાં મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ સાબરમતી અને હરિદ્વાર વચ્ચે વિશેષ ભાડા પર સમર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રેનના સંચાલનથી ઉનાળાની રજાઓમાં લોકોને ઘણી સુવિધા મળશે.

ટ્રેન નંબર 09425/09426 સાબરમતી-હરિદ્વાર-સાબરમતી સ્પેશિયલ

ટ્રેન નંબર 09425 સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલ સાબરમતીથી 31મી મે અને 3જી, 7મી, 10મી અને 14મી જૂન (શુક્રવાર અને સોમવાર)ના રોજ 18.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 19.00 કલાકે હરિદ્વાર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09426 હરિદ્વાર-સાબરમતી સ્પેશિયલ હરિદ્વારથી 01, 04, 08, 11 અને 15 જૂન (શનિવાર અને મંગળવાર)ના રોજ 21:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 22:30 કલાકે સાબરમતી પહોંચશે.

રૂટ પર બંને દિશામાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, જવાઈ બંધ, ફાલના, રાની, મારવાડ, અજમેર, કિશનગઢ, ફુલેરા, રિંગાસ, થાણા, નારનૌલ, રેવાડી, ગુડગાંવ, દિલ્હી કેન્ટ, દિલ્હી, ગાઝિયાબાદ, મેરઠ, મુઝફ્ફરનગર અને રૂરકી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.

ટ્રેન માટે બુકિંગ શરૂ

ટ્રેન નંબર 09425નું બુકિંગ 26 મેથી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે.



  • Follow us on: