• હવે બે હજારની માત્ર 2.62 ટકા નોટ જ જમા કરવાની બાકી
  • બે હજારની નોટ સોમવારે નહીં બદલી શકાય
  • 19મેએ બે હજારની નોટ સરકારે પરત ખેંચવાની જાહેરાત કરી હતી

સોમવારે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના ઉદઘાટનનો કાર્યક્રમ હોવાથી ભારતીય રિઝર્વ બેંકે જાણકારી આપી છે કે સરકારી કચેરીઓ અડધા દિવસ બંધ હોવાથી બે હજાર રૂપિાની નોટ બદલવાની સુવિધા નહીં મળી શકે. કેન્દ્ર સરકારે અડધા દિવસની રજા જાહેર કરી હોવાથી દેશની જાહેર સેકટરની બેંક, ગ્રામીણ બેંક, વીમા કંપનીઓ અને તમામ નાણાં સંસ્થાઓ અડધાા દિવસ માટે બંધ રહેશે.

22 જાન્યુઆરીએ નોટ નહીં બદલી શકાય
શુક્રવારે આ મુદ્દે સત્તાવાર નિવેદન આપતા આરબીઆઈએ જણાવ્યું કે પબ્લિક સેકટરની બેંકોની જેમ આરબીઆઈની 19 લોકલ કચેરીઓમાં પણ અડધા દિવસની રજા રહેશે. આવામાં ગ્રાહક આ દિવસે બે હજાર રૂપિયાની નોટ નહીં બદલી શકે. ઉપરાંત બેંકે એવી પણ જાણકારી પણ આપી છે કે 23 જાન્યુઆરી 2024થી આ સુવિધા રાબેતા મુજબ શરૂ થઈ જશે. આરબીઆઈએ 19 મેએ બે હજારની નોટને ચલણથી બહાર કરવાની જાહેરાત કરી હતી. તે સમયે 3.56 લાખ કરોડ રૂપિયાના બે હજારના નોટ સર્કયુલેશનમાં હતા. જે 29 ડિસેમ્બર 2023 સુધી ઘટીને માત્ર 9,330 કરોડ રૂપિયા રહી ગયા છે. આવામાં ડિસેમ્બર સુધી કુલ 2.62 ટકા આવી બે હજારની નોટ છે હજી બેંક સર્ક્યુલેશનમાં પરત નથી આવી.

દેશમાં 19 સ્થળો પર નોટ બદલી શકાશે
ભારતીય રિઝર્વ બેંકે આઠ ઑક્ટોબર 2023 સુધી બે હજારની નોટને પોસ્ટ ઓફિસ અને બેંકોમાં બદલવાની સુવિધા આપી હતી. જો કોઈ વ્યકિત આ દરમિયાન નોટ બદલવામાં અસફળ રહે તો તે આરબીઆઈની 19 કચેરીએ જઈ નોટ બદલી શકે છે. જે આરબીઆઈની કચેરીઓમાં નોટો બદલવાની સુવિધા મળે છે તેમાં નવી દિલ્હી, પટણા, લખનઉ, મુંબઈ, ભોપાલ, જયપુર, ચંડીગઢ, અમદાવાદ, હૈદ્રાબાદ, ભોપાલ, જમ્મુ, કાનપુર, કોલકાતા, બેંગાલુરુ, ભુવનેશ્વર, ચેન્નઈ અને નાગપુર છે.

  • Follow us on: