- NHAI એક એવી સિસ્ટમ પર કામ કરી રહ્યું છે તેથી ટોલ પ્લાઝા પર સમય લાગશે નહીં
- મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં આ સિસ્ટમ સંપૂર્ણ રીતે લાગુ થવાની આશા
- આ સિસ્ટમ લાગુ થયા બાદ તમને ટોલ પર કોઈપણ પ્રકારનો અવરોધ નહીં મળે
જો તમે પણ હાઈવે પર કાર કે બસમાં મુસાફરી કરો છો તો આ સમાચાર વાંચીને તમે ખુશ થઈ જશો. વાહન ટોલ માટે ફાસ્ટેગ સિસ્ટમ લાગુ થયા પછી પણ ટોલ પ્લાઝાને પાર કરવામાં ઘણો સમય લાગે છે. પરંતુ હવે આશા છે કે મોદી સરકારના ત્રીજા કાર્યકાળ દરમિયાન તમને આ સમસ્યામાંથી મુક્તિ મળી જશે. NHAI એક એવી સિસ્ટમ પર કામ કરી રહ્યું છે જેનાથી તમને ટોલ પ્લાઝા પર સમય લાગશે નહીં અને ટોલ સરળતાથી ચૂકવવામાં આવશે. મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં આ સિસ્ટમ સંપૂર્ણ રીતે લાગુ થવાની આશા છે.
આ સિસ્ટમ લાગુ થયા બાદ તમને ટોલ પર કોઈપણ પ્રકારનો અવરોધ નહીં મળે અને તમારી કાર ઝડપથી પસાર થઈ જશે. આને ધ્યાનમાં રાખીને NHAIએ નોન-સ્ટોપ ટોલ વસૂલાત માટે વિશ્વભરની નવી ટેકનોલોજી ધરાવતી કંપનીઓ પાસેથી એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ (EOI)ને આમંત્રણ આપ્યું છે. તેનો ઉદ્દેશ્ય ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ બનાવવાનો છે જે ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (GNSS) પર આધારિત હશે. તેનાથી વાહનો પાસેથી ટોલ વસૂલવાનું કામ સરળ બનશે. NHAI હાલની ફાસ્ટેગ સિસ્ટમ સાથે તેને જોડીને નવી ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ દાખલ કરવાની યોજના બનાવી રહી છે.










