- નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ 2024ની જાહેરાત
- બજેટ 2024માં ઉત્તર-પૂર્વ ભારત માટે ઘણી મોટી જાહેરાતો
- ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની શાખાઓ સ્થાપવામાં આવશે
આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDA સરકારનું બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. ત્યારે દેશમાં સૌ કોઇની નજર બસ મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પ્રથમ બજેટ અને તેમાં કરવામાં આવેલી જાહેરાતો પર રહેલી છે. જેમાં નાણામંત્રીએ બજેટ 2024માં ઉત્તર-પૂર્વ ભારત માટે ઘણી મોટી જાહેરાતો પણ કરી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની 100 થી વધુ શાખાઓ ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં સ્થાપિત કરવામાં આવશે.
પૂર્વીય ક્ષેત્રમાં ઔદ્યોગિક કોરિડોરને સમર્થન આપશે
બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રીએ કહ્યું કે, 'આસામ છેલ્લા બે વર્ષથી પૂર સામે ઝઝૂમી રહ્યું છે. આવી સ્થિતિમાં રાજ્યને આર્થિક મદદ મળશે. આ સિવાય સિક્કિમમાં ગયા વર્ષે આવેલા પૂરને કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે નાણાકીય સહાય આપવામાં આવશે. આ વખતે બજેટ 2024 માં, નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે સરકાર પૂર્વીય ક્ષેત્રમાં વિકાસ માટે ઔદ્યોગિક કોરિડોરને સમર્થન આપશે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની 100 થી વધુ શાખાઓ ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં સ્થાપિત કરવામાં આવશે. નાણામંત્રીએ જાહેરાત કરી કે આદિવાસી ઉન્નત ગામ અભિયાન શરૂ કરવામાં આવશે. તેનાથી 5 કરોડ આદિવાસીઓને સીધો ફાયદો થશે.
પ્રધાનમંત્રી આદિવાસી ઉન્નત ગ્રામ અભિયાન શરૂ થશે
લોકસભામાં બજેટ રજૂ કરતી વખતે નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, 'આદિવાસી સમુદાયોની સામાજિક-આર્થિક સ્થિતિ સુધારવા માટે પ્રધાનમંત્રી આદિવાસી ઉન્નત ગ્રામ અભિયાન શરૂ કરવામાં આવશે. આ આદિવાસી બહુલ ગામો અને મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં આદિવાસી પરિવારો માટે સંતૃપ્તિ કવરેજ પ્રદાન કરશે. તેનાથી 63,000 ગામડાઓમાં 5 કરોડ આદિવાસીઓને ફાયદો થશે.