શ્રીલંકાના પ્રવાસમા ભારતીય 'એ'ટીમ માટે હાલ સમય ઘણો મુશ્કેલ ચાલી રહ્યો છે.શ્રીલંકાની ધરતી પર રમાઈ રહેલી વનડે ટ્રાય સિરીઝમાં ભારતીય ટીમનું પ્રદર્શન અત્યાર સુધી ઘણું નિરાશાજનક રહ્યું છે.ટીમ પોતાની પ્રથમ ૩ મેચમાંથી 2 મેચ ગુમાવી ચૂકી છે.જેના કારણે હવે પછીની મેચ ભારત માટે 'કરો યા મર જેવી સ્થતિ બની ગઈ છે.આ હાઈ-પ્રેશર મેચ પહેલા ભારતીય ટીમની મુશ્કેલીઓમાં વધારો થયો છે અને સ્ક્વોડમાં મોટો ફેરફાર કરવો પડ્યો છે.મીડિયા રિપોર્ટ અનુસાર બીસીસીઆઈએ ઈજાગ્રસ્ત ખેલાડી યુદ્ધવીર સિંહના રિપ્લેસમેન્ટને પસંદ કર્યો છે.જે ટુંક સમયમાં શ્રીલંકા માટે રવાના થશે.


ઈન્ડિયા એ સ્કવોડ માટે નવા ખેલાડીની એન્ટ્રી

પોતાની તોફાની સ્પીડથી ક્રિકેટ જગતમાં ધમાલ મચાવનાર 23 વર્ષના ફાસ્ટ બોલર અશોક શર્માના કરિયરમાં એક નવો અધ્યાય શરુ થશે. ઘરેલું ક્રિકેટમાં રાજસ્થાન છોડી ગુજરાતમાં આવનાર આ યુવા સ્પીડસ્ટારને શ્રીલંકામાં રમાઈ રહેલી સીરિઝ માટે ઈન્ડિયા એ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અશોકને આ તક ઈજાગ્રસ્ત યુદ્ધવીર સિંહના રિપ્લેસમેન્ટના રુપે મળી છે.

અશોક શર્માને ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી?

મીડિયા રિપોર્ટ મુજબ અશોક શર્મા આજે સવારે કોલંબો માટે રવાના થયો છે.દાંબુલામાં ઈન્ડિયા એ ટીમ સાથે જોડાશે.તમને જણાવી દઈએ કે આ સીરિઝમાં ભારત એ સિવાય શ્રીલંકા એ અને અફઘાનિસ્તાન એ ટીમ ભાગ લઈ રહી છે.તિલક વર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમને સોમવારના રોજ શ્રીલંકા વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારબાદ 17 જૂનના રોજ અફઘાનિસ્તાન એ વિરુદ્ધ રમાનારી મેચ ભારત માટે કરો યા મરો જેવી બનીને રહેશે.ત્યારે અશોકની સ્પીડ ભારતીય બોલિંગને નવી ધાર આપી શકે છે.

IPL 2026માં 150+ Kphની સ્પીડ ચર્ચામાં આવી

અશોક શર્માએ હાલમાં આઈપીએલ 2026માં ગુજરાત ટાઈટન્સ દ્વારા રમતા પોતાની સ્પીડથી બધાને પ્રભાવિત કર્યા છે. તેમણે ટૂર્નામેન્ટમાં 6 મેચમાં 6 વિકેટ લીધી છે. આ દરમિયાન તેમણે એક બોલ 154.2 કિમી/કલાકની સ્પીડથી ફેક્યો હતો. ગુજરાત ટાઈટન્સે તેમને ઓક્શનમાં 90 લાખ રુપિયામાં ખરીદ્યો હતો. હવે તેની પાસે ભારતીય જર્સીમાં ધમાલ મચાવવાની તક છે.

આ પણ વાંચો - Englandએ બીજી ટેસ્ટ માટે પ્લેઇંગ 11માં કર્યો ફેરફાર,આ બે ખેલાડીઓ કરશે ડેબ્યૂ


  • Follow us on: