6 સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં શરૂ થનારી દુલીપ ટ્રોફી ફાઈનલ માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સાઉથ ઝોન અને નોર્થ ઝોન વચ્ચેની આ મહત્વપૂર્ણ મેચ પહેલા ભારતીય ક્રિકેટ સર્કલમાં મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. 

નેશનલ સિલેક્ટર્સના નિર્દેશને પગલે ભારતીય ઓપનર કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ અને અનુભવી ઝડપી બોલર મોહમ્મદ સિરાજ દુલીપ ટ્રોફી ફાઈનલમાં સાઉથ ઝોન તરફથી રમે તેવી અપેક્ષા છે. પરંતુ ભારતના T20 ટીમનો ભાગ રહેલા કેપ્ટન તિલક વર્મા, વૈભવ સૂર્યવંશી અને વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશન પણ આ ઐતિહાસિક મેચમાં ભાગ લેશે કે નહીં તેના પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

રાહુલ-સિરાજ પાસે મેચ પ્રેક્ટિસ માટે શાનદાર તક 

મીડિયા રિપોર્ટ મુજબ હાલમાં ફ્રી હોય તેવા કોઈપણ ખેલાડી આ ડોમેસ્ટિક રેડ-બોલ મેચમાં ભાગ લઈ શકે છે. રાહુલ, સિરાજ અને પડિકલે છેલ્લે 27 ઓગસ્ટના રોજ સ્પર્ધાત્મક મેચ રમી હતી. આ પછી રાહુલ અને સિરાજ 27 સપ્ટેમ્બરથી શરૂ થતી વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI સિરીઝમાં સીધા સામેલ થશે. બીજી તરફ દેવદત્ત પડિકલ ODI ટીમનો ભાગ નથી, તેથી તેને પછીથી ઈન્ડિયા A સિરીઝમાં અજમાવી શકાય છે. BCCIના સૂત્રો કહે છે કે ખાલી બેસી રહેવાને બદલે, આ અનુભવી ખેલાડીઓએ દુલીપ ટ્રોફીની ફાઈનલ રમવી જોઈએ જેથી તેઓ સંપૂર્ણપણે તૈયાર હોય.

અનુભવી ખેલાડીઓની ભાગીદારી લગભગ નિશ્ચિત છે, પરંતુ તિલક વર્મા, ઈશાન કિશન અને વૈભવ સૂર્યવંશીનું ભાવિ સંપૂર્ણપણે કોચ પર નિર્ભર છે. ભારતીય T20 ટીમ 9 કે 10 સપ્ટેમ્બરે દિલ્હી રિપોર્ટ કરવાની છે. બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે જો કોચ ઈચ્છે છે કે આ 3 ખેલાડીઓ T20 શેડ્યૂલ મુજબ દિલ્હી આવે, તો તેઓ ફાઈનલમાં ભાગ લઈ શકશે નહીં. પરંતુ જો તેમને પરવાનગી આપવામાં આવે, તો તેઓ દુલીપ ટ્રોફી ફાઇનલ રમ્યા પછી 10 સપ્ટેમ્બરના રોજ મોડી સાંજ સુધીમાં દિલ્હીમાં ટીમ સાથે જોડાઈ શકે છે.

મુખ્ય પસંદગીકાર ચેન્નાઈ પહોંચશે

પારિવારિક કારણોસર તાજેતરની BCCI સમીક્ષા બેઠકમાં અજિત અગરકર ચૂકી ગયા બાદ તેમના કરારના વિસ્તરણ અંગે અટકળો ચાલી રહી છે, ત્યારે મુખ્ય સિલેક્ટર્સ પોતે ફાઈનલનો આનંદ માણવા માટે ચેન્નાઈ આવી રહ્યા છે. અજિત અગરકરનો વર્તમાન કાર્યકાળ 4 ઓક્ટોબરે સમાપ્ત થાય છે. એ જોવું રસપ્રદ રહેશે કે અગરકર BCCI સચિવ દેવજીત સૈકિયા સાથે તેમનો કાર્યકાળ વધારવા અંગે કોઈ ચર્ચા કરે છે કે નહીં.

આ પણ વાંચો: Rohit Sharmaના ક્રિકેટ કરિયર અને 2027ના ODI વર્લ્ડકપને લઈને ચર્ચા, BCCI મોટો નિર્ણય લેવા માટે તૈયાર