ટીમ ઈન્ડિયાના શ્રીલંકા પ્રવાસ અંગે એક મોટી અપડેટ સામે આવી છે.બંને દેશો વચ્ચે બે મેચની ટેસ્ટ સીરિઝ 15 ઓગસ્ટ 2026 થી શરૂ થવાની છે.જોકે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને શ્રીલંકા ક્રિકેટએ હજુ સુધી સત્તાવાર શેડ્યૂલ જાહેર કર્યું નથી,ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ને ધ્યાનમાં રાખીને બંને ટીમો માટે આ સીરિઝ મહત્વપૂર્ણ છે.


ટીમ ઈન્ડિયાનો શ્રીલંકા પ્રવાસ

મીડિયા રિપોર્ટ અનુસાર,આ પ્રવાસ ગાલે સ્ટેડિયમથી શરૂ થશે,જ્યાં સ્પિનરો માટે અનુકૂળ પિચ ટીમ ઈન્ડિયા માટે ચેલેન્જ બની શકે છે.આ મેચ 15 ઓગસ્ટથી 19 ઓગસ્ટ દરમિયાન રમવાની અપેક્ષા છે.પ્રથમ મેચ પછી,બંને ટીમો કોલંબો જશે શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ 23 ઓગસ્ટથી 27 ઓગસ્ટ દરમિયાન કોલંબોના સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ (SSC) ગ્રાઉન્ડ પર રમવાની અપેક્ષા છે.

WTC ફાઈનલમાં પહોંચવા સીરિઝ મહત્વની

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં પહોંચવા માટે બંને ટીમો માટે આ શ્રેણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. શ્રીલંકા હાલમાં ટેસ્ટ ક્રિકેટમાં સારા ફોર્મમાં છે. તેમણે તાજેતરમાં જ ઈંગ્લેન્ડને તેમની જ ધરતી પર હરાવ્યું હતું અને ત્યારબાદ દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ સામે સારું પ્રદર્શન કર્યું હતું. તેથી, તેમના હોમ પિચ પર શ્રીલંકન ટીમના સ્પિનરો ભારતીય બેટ્સમેનોને પડકાર આપી શકે છે.

T20 મેચો પર હજુ પણ સસ્પેન્સ

શરૂઆતની યોજના મુજબ, આ ટેસ્ટ શ્રેણી ઉપરાંત બંને ટીમો ત્રણ મેચની T20I સીરિઝ પણ રમવાની હતી. આ T20I સીરિઝ ગયા વર્ષના ચક્રવાતના પીડિતો માટે ભંડોળ એકત્ર કરવા માટે હતી. જોકે, આ T20Iનાં આયોજન પર હવે સસ્પેન્સ છે. ભારતીય ટીમના વ્યસ્ત શેડ્યૂલ અને શ્રીલંકન ક્રિકેટમાં તાજેતરના ફેરફારોને કારણે આ T20I ટેસ્ટ મેચો સાથે સામેલ થાય તેવી શક્યતા ઓછી છે. જો આ સીરિઝ રમાય છે, તો તે બે ટેસ્ટ મેચો પહેલા થઈ શકે છે.

આ પણ વાંચો - ENG vs NZ 2nd Test: નાઈટ ક્લબ વિવાદ બાદ બેન સ્ટોકને પડતો મૂકાયો, હવે નવો કેપ્ટન કોણ?


  • Follow us on: