17 વર્ષથી ટાઈટલ માટે ઝંખના કરતી RCB ટીમે હવે સતત 2 વાર એક જ ટ્રોફી જીતીને ઈતિહાસ રચી દીધો છે. વિરાટ કોહલી લાંબા સમય સુધી ટીમનો કેપ્ટન હતા. ફાફ ડુ પ્લેસિસને પણ વચ્ચે કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ ટાઈટલનો દુકાળ યથાવત રહ્યો.

આખરે ટીમની લાંબા સમયથી ચાલતી ઈચ્છા તે ખેલાડી દ્વારા પૂર્ણ થઈ, જેને RCBએ એક સમયે ટીમમાંથી બહાર કરી દીધો હતો અને રિટેન પણ કર્યો ન હતો. અહીં રજત પાટીદાર વિશે વાત કરી રહ્યા છીએ, જેણે ઈતિહાસ રચ્યો છે.

રજત પાટીદારે 2021માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું

રજત પાટીદારે 2021માં IPL માં ડેબ્યૂ કર્યું હતું. RCBએ તેને ફક્ત 20 લાખ રૂપિયામાં કોન્ટ્રાક્ટ કર્યો હતો. તેને ફક્ત 4 મેચ રમી હતી, જેમાં તેને 71 રન બનાવ્યા હતા. સદી તો ભૂલી જાવ, તેને એક પણ અડધી સદી ફટકારી ન હતી. ત્યારબાદ 2022 ની IPL શરૂ થાય તે પહેલાં ટીમે તેને રિલીઝ કર્યો, એટલે કે તેને રિટેન કરવામાં આવ્યો ન હતો. 2022ની IPL શરૂ થતાં રજત પાટીદાર રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં પરત ફર્યો. આ વખતે તેને 8 મેચ રમી, જેમાં 1 સદી અને 2 અડધી સદી સહિત 333 રન બનાવ્યા.

રજતે એલિમિનેટર મેચમાં LSG સામે સદી ફટકારીને પોતાની છાપ છોડી દીધી

તમને જણાવી દઈએ કે તેને એલિમિનેટરમાં LSG સામે સદી ફટકારી, તેની ટીમને આગળ વધવામાં મદદ કરી. પરંતુ ટીમ ટાઈટલ જીતવામાં નિષ્ફળ રહી. રજત પાટીદાર 2023ની IPL માં રમવાનો હતો, પરંતુ ઈજાને કારણે તે બહાર થઈ ગયો. તે ફરીથી 2024ની IPL માં RCB તરફથી રમતા જોવા મળ્યો. આ વર્ષે તેને 15 મેચ રમી અને 395 રન બનાવ્યા, જેમાં 5 અડધી સદીનો સમાવેશ થાય છે. તે વર્ષે તેને 20 લાખ રૂપિયાનો પગાર પણ મળ્યો હતો.

RCBએ રજત પાટીદાર પર 11 કરોડ રૂપિયા ખર્ચ્યા

2025માં એક મોટો ફેરફાર થાય છે. આ વખતે RCB તેને 11 કરોડ રૂપિયાની મોટી રકમ આપીને પોતાના ક્ષેત્રમાં લાવે છે. વધુમાં જ્યારે તેને કેપ્ટનશીપ આપવામાં આવે છે ત્યારે બધા ચોંકી જાય છે. તેનો IPL પગાર અચાનક 54,000 ટકા વધી જાય છે. રજત પાટીદાર 15 મેચ રમે છે અને 312 રન બનાવે છે, જેમાં 2 અડધી સદીનો સમાવેશ થાય છે. તેનું બેટિંગ પ્રદર્શન ખાસ સારું રહ્યું ન હતું, પરંતુ પહેલી વાર રજત પાટીદારની કેપ્ટનશીપમાં RCB ખિતાબ જીતે છે. રજતે ટીમના 17 વર્ષના દુષ્કાળનો અંત લાવ્યો.

રજત પાટીદાર નવો ઈતિહાસ રચવામાં સફળ રહ્યો

ત્યારબાદ રજતને 11 કરોડ રૂપિયાની સમાન રકમમાં રિટેન કરવામાં આવ્યો, અને આ વખતે તેને 15 મેચ રમી, 501 રન બનાવ્યા, અને આ વખતે તેને પોતાની ટીમને જીત અપાવી. ખાસ વાત એ છે કે IPLના ઈતિહાસમાં રોહિત શર્મા અને એમએસ ધોની એકમાત્ર એવા કેપ્ટન છે જેમને સફળતાપૂર્વક ટાઈટલનો બચાવ કર્યો છે. હવે રજત પાટીદાર તે લિસ્ટમાં જોડાય છે. પરંતુ તેનાથી પણ વધુ ખાસ વાત એ છે કે રજત પાટીદાર પહેલા કોઈ પણ કેપ્ટને કેપ્ટન તરીકે તેમની પ્રથમ 2 સીઝનમાં બે ટાઈટલ જીત્યા ન હતા; આ પોતે જ ઈતિહાસ છે.

આ પણ વાંચો: Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા