ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલનું આઈપીએલ 2026ની ફાઈનલના 2 દિવસ પછી દર્દ છલકાયું છે. તેમણે હારથી મળેલા શિખામણનો ઉલ્લેખ કર્યો છે. ગુજરાત ટાઈટન્સની ટીમ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે હારી ગઈ હતી. શુભમન ગિલની ટીમે 155 રન કર્યા હતા. તેના જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુંએ 18 ઓવરમાં 161 રન બનાવી જીત મેળવી હતી. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી હતી. આરસીબીની આ સતત બીજી આઈપીએલ ટ્રોફી છે. ગિલે 19મી સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતુ પરંતુ ફાઈનલમાં માત્ર 10 રન બનાવી આઉટ થયો હતો.
હારે મને આ શીખવ્યું
શુભમન ગિલે મંગળવારના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી હતી. તેમણે લખ્યું કે, અમે જીતની ખુબ નજીક આવ્યા હતા, પરંતુ જીતની લાઈન ક્રોસ કરી શક્યા નહી. આ દુખથી ખુબ નિરાશ થયો પરંતુ રમતને જેમ આપણે બધા પ્રેમ કરીએ છીએ. આપણે જિંદગી વિશે પણ બહુ બધુ શીખી જઈએ છીએ. આને મને એક વાત શીખવાડી છે કે,જ્યાં સુધી આપણે વાપસી કરીએ છીએ હાર ન માનીએ તો હારવામાં કોઈ હાર નથી. તેમણે સાથે સીઝનમાં ઉતાર-ચઢાવ વાળા સમયમાં ટીમ સાથે ઉભા રહેનારા ચાહકોનો પણ આભાર માન્યો છે. ગિલે કહ્યું હું તમારા બધાનો આભાર માનવા માંગું છુ. જે સારા-ખરાબ સમયમાં અમારી સાથે ઉભા રહ્યા. તમારી એનર્જીએ અમને અહી સુધી પહોંચાડ્યા.
