RCB IPL 2026ના ટ્રોફી જીત્યા બાદ સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને તેમની પત્ની અનુષ્કા શર્મા વૃંદાવન પહોંચ્યા.બંનેએ પ્રખ્યાત સંત પ્રેમાનંદ મહારાજના આશ્રમ રાધા કેલી કુંજની મુલાકાત લીધી અને તેમના આશીર્વાદ લીધા.IPL 2026નો ખિતાબ જીતીને મેદાન પર પોતાનું વર્ચસ્વ ફરીથી સ્થાપિત કરનાર ભારતીય ક્રિકેટ સ્ટાર વિરાટ કોહલીએ તેમની સફળતા પછી આધ્યાત્મિક ઉર્જા મેળવવા માટે વૃંદાવનની યાત્રા કરી.
વિરાટ અને અનુષ્કા શર્મા વૃંદાવન પહોંચ્યા
રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરૂને સતત બીજા ખિતાબ સુધી પહોંચાડ્યા પછી વિરાટ તેની પત્ની અને અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે મંગળવારે વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા.બંને વૃંદાવનના રાધા કેલી કુંજ આશ્રમમાં પ્રેમાનંદ મહારાજને મળ્યા.સોશિયલ મીડિયા પર ફોટા સામે આવ્યા છે જેમાં વિરાટ અને અનુષ્કા આશ્રમ છોડી રહ્યા છે. એવું કહેવાય છે કે તેઓએ આશ્રમમાં થોડો સમય વિતાવ્યો, આધ્યાત્મિક ચર્ચાઓમાં વ્યસ્ત રહ્યા અને ગુરુના આશીર્વાદ મેળવ્યા.
