ભારતીય ટીમ 6 જૂનથી મુલ્લાનપુર સ્ટેડિયમમાં ઘરઆંગણે અફઘાનિસ્તાન સામે એક મેચની ટેસ્ટ સિરીઝ રમશે. આ મેચ માટે BCCI દ્વારા ઘણા સમય પહેલા ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયા લાંબા સમય પછી આ ફોર્મેટમાં રમી રહી છે, ટીમે ગયા વર્ષે નવેમ્બરમાં છેલ્લી વાર ઘરઆંગણે ટેસ્ટ મેચ રમી હતી.
તેથી આગામી ઈન્ટરનેશનલ સિઝનની તૈયારી માટે ટીમ ઈન્ડિયા માટે આ ટેસ્ટ મેચ મહત્વપૂર્ણ રહેશે. અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચ માટે મોહમ્મદ સિરાજની ફિટનેસ અંગે સસ્પેન્સ હતું, પરંતુ હવે ટીમ ઈન્ડિયાના સહાયક કોચ રાયન ટેન ડોશેટે સ્પષ્ટતા કરી છે કે મોહમ્મદ સિરાજ પહેલી મેચ રમવા માટે સંપૂર્ણપણે ફિટ છે.
મોહમ્મદ સિરાજ મેચ રમવા માટે સંપૂર્ણપણે ફિટ
મોહમ્મદ સિરાજે IPL 2026 સીઝનમાં ગુજરાત ટાઈટન્સ માટે કુલ 17 મેચ રમી હતી, અને તેમના વર્કલોડને કારણે આ મેચમાં રમવાની તેમની શક્યતાઓ ઓછી માનવામાં આવી રહી હતી, કારણ કે તેમની ફિટનેસ અંગે પણ અનિશ્ચિતતા હતી. પરંતુ 6 જૂનથી શરૂ થનારી અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચના બે દિવસ પહેલા એક પ્રેસ કોન્ફરન્સમાં ટીમ ઇઈન્ડિયાના સહાયક કોચ રાયન ટેન ડોશેટે, સિરાજની ફિટનેસ અંગેના સવાલના જવાબમાં કહ્યું હતું કે મોહમ્મદ સિરાજ સંપૂર્ણપણે ફિટ છે અને રમવા માટે તૈયાર છે.
માનવ સુથાર અને હર્ષ દુબે બંનેના રમવાની શક્યતા ખૂબ જ ઓછી
અફઘાનિસ્તાન સામેની આ ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની ટીમમાં કેટલાક નવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જે છેલ્લા કેટલાક સમયથી ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે. આમાંના બે નામોમાં માનવ સુથાર અને હર્ષ દુબેનો સમાવેશ થાય છે, જેમના વિશે રાયન ટેન ડોશેટે કહ્યું હતું કે તે ખૂબ જ અસંભવિત છે કે તેમાંથી કોઈને પણ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવશે. "અમે હજુ સુધી નક્કી કર્યું નથી કે કુલદીપ યાદવ અને વોશિંગ્ટન સુંદર સાથે કોણ રમશે."
નંબર 3 પોઝિશન વિશેના સવાલના જવાબમાં ડોશેટે કહ્યું, "અમે તે પોઝિશનમાં નોંધપાત્ર ફેરફાર કરવાના પક્ષમાં નથી. દેવદત્ત પડિકલ અને સાઈ સુદર્શન બંનેએ તાજેતરમાં ખૂબ જ સારું ફોર્મ દર્શાવ્યું છે. આવી સ્થિતિમાં અમે તે ખેલાડીને જોઈશું અને તેના પર વિશ્વાસ કરીશું જે તે પરિસ્થિતિમાં અનુકૂલન સાધી શકે અને વધુ સારું પ્રદર્શન કરી શકે."
આ પણ વાંચો: Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા