યુપી T20 લીગ 2026માં ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓનું પણ ધ્યાન ખેંચાયું છે.આ લીગમાં રિંકુ સિંહની કપ્તાની અને ભુવનેશ્વર કુમારની શાનદાર બોલિંગથી પ્રભાવિત થઈને પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ બંને ખેલાડીઓને લઈને મોટું નિવેદન આપ્યું છે.સુરેશ રૈનાએ કોલકાતા નાઈટ રાઈડર્સને રિંકુ સિંહને ટીમની કપ્તાની સોંપવાની સલાહ આપી છે.તેમણે કહ્યું કે જ્યારે તમારા ઘરમાં જ શેર ઊભો હોય તો બહારથી શેર લાવવાની જરૂર નથી.સાથે જ ભુવનેશ્વર કુમારની બોલિંગના વખાણ કરતાં સુરેશ રૈનાએ તેમને 2027ના વનડે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમના દાવેદારોમાં સામેલ કરવાની પણ વાત કરી છે.

રિંકુ અને ભુવીથી પ્રભાવિત થયા સુરેશ રૈના

સુરેશ રૈના યુપી T20 લીગમાં રિંકુ સિંહ અને ભુવનેશ્વર કુમારના પ્રદર્શનથી ખૂબ પ્રભાવિત થયા છે.રિંકુ સિંહની કપ્તાની હેઠળ મેરઠ મેવેરિક્સ સતત ચોથા વખત ફાઇનલમાં પહોંચી હતી.આ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને રૈનાએ KKRના સંચાલનને રિંકુને ટીમની કપ્તાની સોંપવાની સલાહ આપી છે.રૈનાએ કહ્યું કે જો કોઈ ખેલાડી પોતાની ટીમને સતત 4 વખત યુપી T20 લીગની ફાઇનલમાં પહોંચાડે છે તો તેમાં ચોક્કસપણે કંઈક ખાસ છે.તેમના મતે KKRએ હવે રિંકુ સિંહને જ ટીમની કપ્તાની સોંપવી જોઈએ.

રિંકુ સિંહને KKRનો કેપ્ટન બનાવો’

સુરેશ રૈનાએ રિંકુ સિંહની કપ્તાનીની પ્રશંસા કરતાં કહ્યું કે યુપી T20 લીગમાં તેનું પ્રદર્શન અને નેતૃત્વ જોવું જોઈએ.તેમણે કહ્યું કે જ્યારે ઘરમાં જ એક શાનદાર ખેલાડી અને નેતા હોય તો બહારથી કોઈને લાવવાની જરૂર નથી.રૈનાના આ નિવેદન બાદ KKRમાં રિંકુ સિંહને ભવિષ્યનો કેપ્ટન બનાવવાની ચર્ચાને પણ વેગ મળ્યો છે. રિંકુ લાંબા સમયથી KKRનો મહત્વનો ખેલાડી રહ્યો છે અને તેની આક્રમક બેટિંગ માટે જાણીતો છે.

ભુવનેશ્વરને 2027 વર્લ્ડ કપમાં સ્થાન આપવાની વકાલત

લખનૌ ફાલ્કન્સને પ્રથમ વખત ફાઇનલમાં પહોંચાડનાર કેપ્ટન ભુવનેશ્વર કુમારની બોલિંગથી પણ સુરેશ રૈના ખૂબ પ્રભાવિત થયા છે.રૈનાએ કહ્યું કે 2027ના વનડે વર્લ્ડ કપ માટે ભુવનેશ્વર ભારતીય ટીમમાં હોવો જોઈએ.તેમના મતે ભુવનેશ્વરની સૌથી મોટી તાકાત માત્ર ઝડપ નથી, પરંતુ સ્વિંગ, યોગ્ય લાઇન અને લેન્થ તથા યોગ્ય સમયે મેચ બદલવાની ક્ષમતા છે.રૈનાએ કહ્યું કે દક્ષિણ આફ્રિકાની પરિસ્થિતિમાં નવી બોલ સાથે ભુવનેશ્વરની સ્વિંગ ભારતીય ટીમ માટે મોટું હથિયાર બની શકે છે.

‘ભુવી અનુભવથી સંપૂર્ણ બની ગયા છે’

સુરેશ રૈનાએ ભુવનેશ્વર કુમારના અનુભવની પણ પ્રશંસા કરી.તેમણે કહ્યું કે યુપી T20 લીગમાં ભુવીએ જે રીતે દરેક મેચમાં પ્રદર્શન કર્યું છે તે દર્શાવે છે કે તે હવે અનુભવથી સંપૂર્ણ બની ગયા છે.રૈનાના મતે 2027ના વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકાની પીચો પર મળતો વધારાનો ઉછાળો અને નવી બોલ સાથે ભુવનેશ્વરની સ્વિંગ ટીમ ઈન્ડિયા માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.

મેરઠ મેવેરિક્સ ચેમ્પિયન

રિંકુ સિંહની આગેવાની હેઠળ મેરઠ મેવેરિક્સે ભુવનેશ્વર કુમારની આગેવાની હેઠળની લખનૌ ફાલ્કન્સને 94 રનથી હરાવીને યુપી T20 લીગ 2026નું ટાઇટલ જીતી લીધું. મેરઠની ટીમે બીજી વખત આ ખિતાબ પોતાના નામે કર્યો છે. આ પહેલાં 2024માં માધવ કૌશિકની કપ્તાનીમાં મેરઠે પ્રથમ સિઝનનું ટાઇટલ જીત્યું હતું.

આ પણ વાંચો - Ishan Kishanનો ડબલ ધમાકો, દુલીપ ટ્રોફીની ફાઈનલમા રચ્યો ઈતિહાસ