ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની એકમાત્ર ટેસ્ટ મેચ 6 જૂન શનિવારથી શરૂ થશે. મેચ પહેલા ટીમ ઈન્ડિયાના સહાયક કોચ રાયન ટેન ડોશેટે રિષભ પંત વિશે વાત કરી હતી.


તમને જણાવી દઈએ કે રિષભ પંતને આ ટેસ્ટ માટે વાઈસ-કેપ્ટન પદ પરથી દૂર કરવામાં આવ્યો છે, અને કેએલ રાહુલને ફરી એકવાર જવાબદારી સોંપવામાં આવી છે. તો રિષભ પંત આ નિર્ણયથી નારાજ છે? કોચે આ પ્રશ્નનો જવાબ આપ્યો.

રિષભ પંતે પરિસ્થિતિ અનુસાર રમવું જોઈએ: કોચ

સહાયક કોચે રિષભ પંતની બેટિંગ અંગે પણ ચર્ચા કરી. તેમને વિકેટકીપર-બેટ્સમેનને કેટલીક સલાહ આપી. કોચે કહ્યું કે રિષભ પંતે પરિસ્થિતિ અનુસાર રમવું જોઈએ.

ખેલાડીઓએ સત્તાવાર પદ વિના પણ જવાબદારી લેવી જોઈએ. ટીમ માટે નેતા બનવા વિશે બોલતા રાયન ટેન ડોશેટે કહ્યું, "નેતા બનવા માટે ઔપચારિક પદની જરૂર નથી. અમે ઈચ્છીએ છીએ કે રિષભ પંત મેચની પરિસ્થિતિ અનુસાર રમે અને યોગ્ય નિર્ણયો લે."

શું વાઈસ-કેપ્ટનપદેથી દૂર થયા બાદ રિષભ પંત નારાજ છે?

બીસીસીઆઈએ ગયા મહિને અફઘાનિસ્તાન ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી હતી. પંતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમની પાસેથી વાઈસ-કેપ્ટન પદ છીનવી લેવામાં આવ્યું હતું. તેમને દૂર કરવા અંગે સહાયક કોચે કહ્યું, "રિષભ પંતે વાઈસ-કેપ્ટન પદ પરથી દૂર કરવા અંગે કોઈ ફરિયાદ કરી નથી.

રિષભ પંતનું અત્યાર સુધી શાનદાર ટેસ્ટ કરિયર રહ્યું છે." પરંતુ એ વાત પર ધ્યાન દોરવામાં આવ્યું હતું કે રિષભ પંતને જોખમી અથવા બેજવાબદાર શોટ રમવા બદલ ઘણીવાર ટીકાનો સામનો કરવો પડ્યો છે.

રિષભ પંતનું ટેસ્ટ કરિયર

પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા રિષભ પંતે અત્યાર સુધીમાં 49 ટેસ્ટ મેચ રમી છે. 86 ઈનિંગમાં બેટિંગ કરતા તેને 42.91 ની એવરેજથી 3476 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને 8 સદી અને 18 અડધી સદી ફટકારી છે, જેનો હાઈએસ્ટ સ્કોર 159* છે.

આ પણ વાંચો: Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા

  • Follow us on: