દૂલીપ ટ્રોફી 2026માં યુવા બેટર વૈભવ સૂર્યવંશીની લીડરશિપની પણ ચર્ચા થઈ રહી છે.ટૂર્નામેન્ટ શરૂ થયા પહેલા જ્યારે વૈભવને ઈસ્ટ ઝોનનો ઉપકેપ્ટન બનાવવામાં આવ્યો હતો ત્યારે ઘણા સવાલો ઉઠ્યા હતા. જોકે, હવે મેદાન પર તેમની સમજદારી જોઈને લાગે છે કે તેમને આ જવાબદારી આપવાનો નિર્ણય યોગ્ય હતો.વૈભવ સૂર્યવંશીએ દલીપ ટ્રોફીમાં પોતાની રમતની સાથે મેદાન પર નિર્ણય લેવાની ક્ષમતા પણ બતાવી છે.ખાસ કરીને DRSના ઉપયોગમાં તેમણે શાનદાર સમજદારી દેખાડી છે.અત્યાર સુધી વૈભવે લીધેલા DRSના નિર્ણયો સફળ રહ્યા છે.દૂલીપ ટ્રોફીના ફાઇનલમાં પણ તેમની આ સમજદારીના કારણે ઈસ્ટ ઝોનને મહત્વની વિકેટ મળી હતી.
વૈભવે ફરી DRSનો સાચો ઉપયોગ કર્યો
દૂલીપ ટ્રોફીના ફાઇનલમાં સાઉથ ઝોનની પ્રથમ ઇનિંગ્સ દરમિયાન ઓપનર રિકી ભુઈ સામે જોરદાર અપીલ થઈ હતી. ઈસ્ટ ઝોનના ઝડપી બોલર મુકેશ કુમારની બોલિંગ દરમિયાન વિકેટકીપર કુમાર કુશાગ્રે રિકી ભુઈનો કેચ પકડ્યો હતો.ઈસ્ટ ઝોનના ખેલાડીઓએ વિકેટ માટે અપીલ કરી હતી, પરંતુ મેદાન પરના અમ્પાયરે તેને નકારી કાઢી હતી.આ સમયે વૈભવ સૂર્યવંશીએ પોતાની જવાબદારી નિભાવી.ઉપકેપ્ટન તરીકે વૈભવે પોતાના કેપ્ટન ઈશાન કિશનને DRS લેવાની સલાહ આપી.ઈશાને વૈભવની વાત માનીને DRS લીધો.રિવ્યૂમાં રિકી ભુઈના આઉટ હોવાની પુષ્ટિ થઈ અને અમ્પાયરે પોતાનો નિર્ણય બદલવો પડ્યો.આ રીતે વૈભવની સમજદારીના કારણે ઈસ્ટ ઝોનને સાઉથ ઝોનની પ્રથમ ઇનિંગ્સમાં મહત્વની સફળતા મળી.
