વૈભવ સૂર્યવંશી માટે ટીમ ઈન્ડિયાના દરવાજા ટૂંક સમયમાં ખુલી શકે છે. તે ઈન્ડિયા એ ટીમમાં જોડાઈ ચૂક્યો છે. આ મહિને તે શ્રીલંકા અને અફઘાનિસ્તાન એ ટીમો સામે વનડે રમતો જોવા મળશે. હવે રાષ્ટ્રીય ટીમનો વારો છે.


આ દરમિયાન મીડિયા રિપોર્ટ મુજબ RCBને IPL 2026 માં લઈ જનાર કેપ્ટન રજત પાટીદારને પણ બોલાવવામાં આવી શકે છે. પરંતુ આ સમયે આ ફક્ત અટકળો છે. BCCI આ બધી બાબતો પર વિચાર કરી રહ્યું છે.

આગામી સમયમાં ટીમ ઈન્ડિયામાં ઘણા મોટા ફેરફારો જોવા મળી શકે છે

ટીમ ઈન્ડિયા હાલમાં પરિવર્તનના સમયગાળામાંથી પસાર થઈ રહી છે. ખાસ કરીને T20 ક્રિકેટમાં આવું જ લાગે છે. 2026નો ICC T20 વર્લ્ડકપ માર્ચમાં પૂર્ણ થયો હતો, અને આગામી ICC ટુર્નામેન્ટ લગભગ 2 વર્ષ દૂર છે. ટીમને શરૂઆતથી ફરીથી બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે.

સૂર્યકુમાર યાદવને બદલે શ્રેયસ ઐયરને નવા કેપ્ટન તરીકે લેવાની શક્યતા પર વિચારણા ચાલી રહી છે, આનાથી વૈભવ સૂર્યવંશી અને રજત પાટીદાર માટે પણ માર્ગ ખુલી શકે છે. હાલની ચર્ચા એ છે કે શું વૈભવ જે હવે માત્ર 15 વર્ષનો છે, તેને ભારતીય ટીમ માટે ડેબ્યૂ કરવાની તક આપવી જોઈએ કે પછી રોકી રાખવો જોઈએ.

રજત પાટીદારને સૂર્યકુમાર યાદવનું સ્થાન આપવામાં આવી શકે છે

BCCI પસંદગી સમિતિ તમામ પાસાઓ પર વિચાર કરી રહી છે. એવી અપેક્ષા છે કે ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન ઘણા મોટા અને મહત્વપૂર્ણ ફેરફારો જોશે. વૈભવ સિવાય રજત પાટીદારનો પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. તેમની કેપ્ટનશીપ હેઠળ RCB એ 17 વર્ષના દુષ્કાળનો અંત લાવ્યો અને IPL ટાઈટલ જીત્યું. મીડિયા રિપોર્ટ મુજબ રજત પાટીદાર સૂર્યકુમાર યાદવનું સ્થાન લઈ શકે છે. રજત પાટીદાર ભારત માટે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરી ચૂક્યો છે, પરંતુ તેને તે મેચમાં બેટિંગ કરી ન હતી.

રજત પાટીદારે IPL 2026 માં શાનદાર પ્રદર્શન કર્યું છે

રજત પાટીદારે સાબિત કર્યું છે કે તે માત્ર એક મહાન નેતા જ નથી, પરંતુ બેટથી પણ તેને જબરદસ્ત યોગદાન આપ્યું છે. રજત પાટીદારે આ વર્ષની IPLમાં 192.69 ના સ્ટ્રાઈક રેટ સાથે 501 રન બનાવ્યા હતા. તેની આક્રમક બેટિંગ અને પ્રભાવશાળી છગ્ગાએ તેમની ટીમની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

આ પણ વાંચો: Vaibhav Sooryavanshi પર થયો પૈસાનો વરસાદ, ઓરેન્જ કેપ સહિત આ એવોર્ડ જીત્યા


  • Follow us on: