અમદાવાદના વાડજમાં અકસ્માતની ઘટના બની છે, જેમાં વાડજ બ્રિજ નીચે બે બાળકો હતા તેમાં બન્ને બાળકોને અડફેટે લીધા હતા જેમાં એકનું મોત થયું છે અને એકને સારવાર માટે ખસેડાયો છે, ઘટનાની જાણ થતાની સાથે લોકોના ટોળા ઉમટયા હતા અને ટેન્કરના ચાલકને ઝડપી પાડયો હતો.


વાડજ બ્રિજ નીચે ટેન્કરે લીધો બાળકનો ભોગ

અમદાવાદના વાડજમાં ટેન્કરના ચાલકે ગંભીર અકસ્માત સર્જયો છે જેમાં એક બાળકનું મોત થયું છે અને એક બાળકને સારવાર માટે ખસેડાયો છે, ઈજાગ્રસ્ત બાળકની હાલત પણ નાજુક હોવાની વાત સામે આવી છે, ટ્રાફિક પોલીસે આસપાસના સીસીટીવી તપાસ માટે લીધા છે અને અકસ્માતનો ગુનો નોંધીને ટેન્કરના ચાલકની અને આસપાસના સ્થાનિકોની પૂછપરછ કરી છે, ટેન્કરના ચાલકે ધ્યાન રાખ્યું નહી અને બે બાળકો ટેન્કરના ટાયર નીચે આવી ગયા હતા.

ટેન્કરે બે બાળકોને અડફેટે લીધા હતા

પોલીસે મૃતક બાળકનો મૃતદેહ પીએમ માટે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, આ સમગ્ર ઘટનામાં લોકોમાં પણ ટેન્કર ચાલક સામે રોષ જોવા મળ્યો છે, કયારેક ડમ્પરની અડફેટ તો કયારેક બસની અડફેટે અકસ્માતોની ઘટના શહેરમાં બનતી હોય છે, ટ્રાફિક પોલીસ ફકત ગુનો નોંધીને સંતોષ ના માને પણ આવા બેફામ ડ્રાઈવિંગ કરતા લોકોને કાયદાનો પાઠ શીખવે તે પણ જરૂરી છે.


આ પણ વાંચો : Surendranagar News : ઝાલાવાડની હરિયાળી ઓળખ ચોટીલાનું ‘ભક્તિ વન’ અને દૂધરેજનું ‘વટેશ્વર વન’ કે જે પ્રકૃતિપ્રેમીઓ માટે બન્યા આકર્ષણનું કેન્દ્ર


  • Follow us on: