બોલીવુડ એક્ટર અભિષેક બચ્ચને પોતાની જોરદાર એક્ટિંગથી દર્શકો સામે પોતાના ટેલેન્ટને સાબિત કરી દીધું છે. તેને દસવી અને ઘૂમર જેવી ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી ફેન્સના દિલ જીતી લીધા છે, તે ફરી એકવાર મોટા પડદા પર જાદુ ફેલાવવા માટે તૈયાર છે.
અભિષેકની આગામી ફિલ્મ 'આઈ વોન્ટ ટુ ટોક' 22 નવેમ્બર, 2024ના રોજ રીલિઝ થઈ રહી છે અને હાલમાં અભિષેક ફિલ્મનું પ્રમોશન કરતો જોવા મળે છે.
અભિષેક બચ્ચને આરાધ્યા વિશે શું કહ્યું?
મીડિયા સાથેની વાતચીતમાં અભિષેક બચ્ચને ખુલાસો કર્યો કે કેવી રીતે આરાધ્યાની 'હિંમત' વિશે શીખવાથી તેની અપકમિંગ ફિલ્મમાં અર્જુન તરીકેના તેના અભિનય પર અસર પડી છે. તેને કહ્યું કે 'જ્યારે આરાધ્યા નાની હતી, ત્યારે તેની પાસે એક પુસ્તક હતું જેમાં એક પાત્રનું નામ હતું 'હેલ્પ' દુનિયાનો સૌથી બહાદુર શબ્દ.'
અભિષેક બચ્ચને કહી આ વાત
સિમ્પલ પણ ઊંડો અને ખૂબ જ મહત્વનો મેસેજ જે અભિષેકને ખૂબ ગમ્યો. જેણે તેને સમજાવ્યું કે મદદ માંગવી એ નબળાઈની નિશાની નથી. તેના બદલે, તે વિશ્વાસ કરવાની અને ક્યારેય હાર ન માનવાની શક્તિ વધારે છે. અભિષેક બચ્ચને આગળ કહ્યું કે 'એનો અર્થ એ છે કે તમે હાર સ્વીકારવા તૈયાર નથી. આગળ વધવા માટે જે કંઈ કરવાની જરૂર છે તે તમે કરશો.
પોતાના રોલ વિશે વાત કરતા અભિષેકે કહ્યું કે, 'તે હાર માની રહ્યો નથી. જે વ્યક્તિ લાંબા સમયથી કોઈ વસ્તુથી દૂર જવાનો પ્રયાસ કરી રહી છે, તેના માટે હાર માની લેવી અને 'પૂરતું, વધુ નહીં' કહેવું ખૂબ જ સરળ છે.
પોતાના પાત્ર વિશે અભિષેક બચ્ચને કરી વાત
ફિલ્મમાં પોતાના પાત્ર વિશે વાત કરતાં અભિષેકે એમ પણ કહ્યું કે જે વ્યક્તિ સતત મુશ્કેલીઓનો સામનો કરે છે, તેના માટે 31 વર્ષની ઉંમર પછી હાર માની લેવું અને કહેવું જરૂરી છે કે 'બસ... હવે ન કરો.' કહેવું ખૂબ જ સરળ છે. પરંતુ ફિલ્મનું પાત્ર આગળ વધતું રહે છે, પ્રયાસ કરતું રહે છે અને આ જ તેને ખાસ બનાવે છે.