- સુષ્મિતાએ વીડિયો શેર કરીને જાહેરાત કરી હતી
- સુષ્મિતા સેનને ગયા મહિને હાર્ટ એટેક આવ્યો હતો
- વીડિયોમાં સુષ્મિતા તલવારબાજી કરતી જોવા મળી રહી છે
સુષ્મિતા સેન હાર્ટ સર્જરીમાંથી સાજા થયાના એક મહિના પછી કામ પર પરત ફરી છે. અભિનેત્રી તેની આગામી શ્રેણી 'આર્યા સીઝન 3' ના સેટ પર ખૂબ જ ફિટ લુકમાં જોવા મળી હતી. સુષ્મિતાએ હવે આ મોસ્ટ અવેટેડ સિરીઝનું શૂટિંગ શરૂ કરી દીધું છે. હાર્ટ સર્જરી કરાવ્યા બાદ સુષ્મિતા સેન હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ છે અને તેણે પોતાની ફિલ્મોનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. સુષ્મિતાએ પોતે સેટ પર કમબેકની જાહેરાત કરી છે.
સુષ્મિતાએ વીડિયો શેર કરીને જાહેરાત કરી હતી
સુષ્મિતાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલથી ફિલ્મના સેટ પર તેના પુનરાગમનની જાહેરાત કરી છે અને કહ્યું છે કે તેણે તેના હિટ શોની સીઝન 3 માટે સત્તાવાર રીતે ફરીથી શૂટિંગ શરૂ કર્યું છે. એક શક્તિશાળી નવું પોસ્ટર શેર કરતા, સુશે તેના ટ્વિટર હેન્ડલ પર એક ટીઝર પણ પોસ્ટ કર્યું છે. આ સાથે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, "તે મીન છે. તે નીડર છે. તે પાછી આવી છે. આર્યા સીઝન 3નું શૂટિંગ ફરી શરૂ થઈ ગયું છે..."
સુષ્મિતા સેને શેર કરેલી ક્લિપમાં અભિનેત્રી ખૂબ જ ફિટ દેખાઈ રહી છે. હાથમાં તલવાર લઈને તેણે પોતાની તલવારબાજી પણ બતાવી છે. ક્લિપમાં લખ્યું છે કે, ત્રીજા રાઉન્ડનો સમય થઈ ગયો છે. તમને જણાવી દઈએ કે સુષ્મિતા સેન ગયા મહિને ચર્ચામાં આવી હતી જ્યારે તેણે ખુલાસો કર્યો હતો કે તેને હાર્ટ એટેક આવ્યો હતો અને ઈમરજન્સીમાં તેની એન્જિયોપ્લાસ્ટી કરાવવી પડી હતી. અભિનેત્રીએ એ પણ ખુલાસો કર્યો કે તેની મુખ્ય ધમની 95 ટકા બ્લોક હતી. આ પછી, તે સતત તેના ફેન્સ સાથે તેના સ્વાસ્થ્ય વિશે અપડેટ્સ શેર કરે છે.
સુષ્મિતા સેનનું વર્ક ફ્રન્ટ
દરમિયાન, વર્ક ફ્રન્ટ પર, સુષ્મિતાએ તાજેતરમાં 'તાલી' માટે ડબિંગ પૂર્ણ કર્યું હતું. આ ફિલ્મ ટ્રાન્સજેન્ડર શ્રી ગૌરી સાવંતના જીવન પર આધારિત છે. સુષ્મિતાએ 'તાલી'માં શ્રી ગૌરી સાવંતની ભૂમિકા ભજવી છે. અભિનેત્રીની સિરીઝ 'આર્ય સીઝન 3'નું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે.