• ઐશ્વર્યા રાય પર રાહુલ ગાંધીની વિવાદાસ્પદ ટિપ્પણી
  • રાહુલ ગાંધીએ ઐશ્વર્યા રાય બચ્ચનને 'નાચવાવાળી' ગણાવી
  • સોશિયલ મીડિયા યુઝર્સે રાહુલ ગાંધીની કરી ટીકા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અયોધ્યા રામ મંદિર અભિષેક સમારોહને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનને 'નાચવાવાળી' ગણાવી છે. રાહુલ ઐશ્વર્યા પર સતત વિવાદાસ્પદ નિવેદનો આપી રહ્યા છે.

હકીકતમાં 22 જાન્યુઆરીના રોજ આયોજિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં રાહુલ ગાંધીએ અન્ય પછાત વર્ગ (ઓબીસી) સભ્યોની ગેરહાજરી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન અને તેમની વહુ ઐશ્વર્યા રાય બચ્ચન પર નિશાન સાધ્યું હતું. જ્યારે ઐશ્વર્યા રાયે રામ મંદિર કાર્યક્રમમાં હાજરી આપી ન હતી.

ઐશ્વર્યા રાય પર રાહુલ ગાંધીની વિવાદાસ્પદ ટિપ્પણી

ઐશ્વર્યા રાયના ફેન્સ અને સોશિયલ મીડિયા યુઝર્સને રાહુલ ગાંધીનું આ નિવેદન પસંદ આવ્યું નથી જેના કારણે રાહુલ ગાંધી સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે. રાહુલ ગાંધીની સાથે ઐશ્વર્યા રાયના સાસુ અને રાજ્યસભા સાંસદ જયા બચ્ચન કે જેઓ મહિલાઓ પ્રત્યે પોતાનો અવાજ ઉઠાવવા માટે જાણીતા છે તેમની પણ મૌન જાળવવા બદલ ચાહકો દ્વારા ટીકા કરવામાં આવી છે.


રાહુલ ગાંધીએ ઐશ્વર્યા રાયને 'નાચવાવાળી' ગણાવી

સોશિયલ મીડિયા પર લોકો દાવો કરી રહ્યા છે કે રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન જનસભાને સંબોધિત કરતા ઐશ્વર્યા રાયને 'નાચવાવાળી' કહી છે.

ઐશ્વર્યા રાય અને અમિતાભ બચ્ચન પર ટિપ્પણી

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'શું તમે રામ મંદિરમાં અભિષેક વિધિ જોઈ? શું ત્યાં એક પણ OBC ચહેરો હતો? ત્યાં અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા રાય અને નરેન્દ્ર મોદી હતા. ભાજપ ક્યારેય ઈચ્છશે નહીં કે
તેઓ દેશની બાગડોર સંભાળે.'



રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આજે ​​ભારતને બે ભાગમાં વહેંચાયું છે. એક તરફ ગરીબ અને બેરોજગાર લોકો છે અને બીજી બાજુ એક ટકા લોકો એવા છે જેઓ વિમાનમાં મુસાફરી કરવા જઈ રહ્યા છે. ગરીબો માટે મજૂરીનો માર્ગ ખુલ્લો છે પણ મોદીના મિત્રો જમીન, એરપોર્ટ, રેલવે, કંઈ પણ લઈ શકે છે. બે હિન્દુસ્તાન બનાવવામાં આવી રહ્યા છે એક તરફ ઐશ્વર્યા રાય ડાન્સ કરતી જોવા મળશે તો બીજી તરફ અમિતાભ બચ્ચન બેટિંગ કરતા જોવા મળશે, શાહરૂખ ખાન જોવા મળશે, વિરાટ કોહલી જોવા મળશે પરંતુ કોઈ ભૂખ્યો નહીં દેખાય.


સોશિયલ મીડિયા યુઝર્સે રાહુલ ગાંધીની કરી ટીકા!

શ્રી સિંહા નામના ટ્વિટર યુઝરે લખ્યું કે, 'રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં બિગ બીની ભાગીદારી પછી રાહુલ ગાંધી સતત ઐશ્વર્યા રાયને 'નાચવાવાળી' કહી રહ્યા છે અને નારીવાદી મહિલાઓ ચૂપ છે. તેના પોતાના સાસુ સાંસદ જયા બચ્ચને પણ આ અંગે કોઈ વાંધો ઉઠાવ્યો નથી. જરા વિચારો કે જો બીજેપીના કોઈ નેતાએ આવું નિવેદન કર્યું હોત તો કેટલો આક્રોશ થયો હોત.

  • Follow us on: