થોડા દિવસો પહેલા ગુસ્સે થયેલા ટ્વિટને શેર કર્યા પછી એક્ટર અમિતાભ બચ્ચને હવે એક રહસ્યમય નોટ શેર કરી છે જેમાં 'મૂર્ખ અને ઓછા મગજવાળા લોકો' વિશે વાત કરવામાં આવી છે. અમિતાભે રવિવારે પોતાના બ્લોગ પર કહ્યું કે આવા લોકો પોતાની ખામીઓ છુપાવવા માટે પોતાના મૂર્ખતા જૂઠ્ઠી વાતો પ્રકાશિત કરે છે. તમને જણાવી દઈએ કે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચે અણબનાવના સમાચાર વચ્ચે આ વાત સામે આવી છે.


અમિતાભ બચ્ચને કહી આ વાત

અમિતાભની નોટમાં લખ્યું છે કે 'મૂર્ખ અને સીમિત માનસિકતા - આ દુનિયામાં આવા લોકોની ક્યારેય કમી નથી. તેઓ પોતાની પર્સનલ, બુદ્ધિહીન, અર્ધવિવેકી ખામીઓને ઢાંકવા માટે દરરોજ તેમની પોતાની મૂર્ખ નકલી પ્રોડક્ટ બનાવે છે અને છાપે છે.' પરંતુ તેમને બીજું કશું કહ્યું ન હતું. તેમને ફક્ત એમ કહીને સમાપ્ત કર્યું- મારો પ્રેમ.


અમિતાભ બચ્ચનનો બીજો ઈશારો

અમિતાભે X પર એક ટ્વીટ શેર કરી હતી. તેમને લખ્યું હતું, 'T 5216 - જેઓ કંઈપણ બનાવે છે, દરેક શબ્દમાં પોતાનો અર્થ શોધે છે, તેઓ પોતાના અંગત જીવનની આફત છુપાવે છે. (હસતા ઈમોજી).'

 

અમિતાભના ટ્વીટથી ફેન્સ થયા કન્ફ્યૂઝ

તાજેતરમાં અમિતાભે તેમના ગુસ્સાવાળા ટ્વિટથી તેમના ફેન્સને મૂંઝવણમાં મૂકી દીધા હતા. તેમને એક્સ T5210 પર લખ્યું છે કે 'શાંત! (ગુસ્સાવાળા ઈમોજી સાથે).' બાદમાં તેને બીજું ટ્વિટ શેર કર્યું અને ત્યારથી તે કંઈક ને કંઈક કહી રહ્યા છે.


  • Follow us on: