બોલીવુડ એક્ટર અર્જુન કપૂર વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ એક્ટરને તેની આગામી ફિલ્મ 'મેરે હસબન્ડ કી બીવી'ના સેટ પર ઈજા થઈ છે. એક્ટરની સાથે, સેટ પરના ઘણા લોકો પણ ઘાયલ થયા હતા.


લેટેસ્ટ મળતી માહિતી મુજબ એક્ટર ફિલ્મ 'મેરે હસબન્ડ કી બીવી' માટે એક ગીતનું શૂટિંગ કરી રહ્યા હતા. ત્યાં જ તેની સાથે આ અકસ્માત થયો.

શૂટિંગ દરમિયાન અર્જુન કપૂર ઘાયલ

મીડિયા રિપોર્ટ મુજબ અર્જુન કપૂરની ફિલ્મ 'મેરે હસબન્ડ કી બીવી'નું શૂટિંગ રોયલ પામ્સના ઈમ્પીરીયલ પેલેસમાં ચાલી રહ્યું હતું. અહીં એક્ટર એક ગીતનું શૂટિંગ કરી રહ્યો હતો. પછી અચાનક સેટની છત તૂટી પડી અને તેના કારણે એક્ટર ઘાયલ થયા. રિપોર્ટ મુજબ આ અકસ્માતમાં અર્જુન કપૂરની સાથે એક્ટર-ફિલ્મમેકર જેકી ભગનાની અને દિગ્દર્શક મુદસ્સર અઝીઝ પણ ઘાયલ થયા હતા.

એક્ટર સહિત ઘણા લોકો ઘાયલ

ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE) ના કર્મચારી અશોક દુબેએ આ ઘટના પર ખુલીને વાત કરી. તેમને કહ્યું કે, 'જ્યારે ગીતનું શૂટિંગ થઈ રહ્યું હતું, ત્યારે સેટ પણ તેના બેઝને કારણે ધ્રુજવા લાગ્યો હતો.' આનાથી છત પર પણ અસર પડી અને તે અચાનક નીચે પડી ગઈ. આ અકસ્માતમાં અશોક દુબેને પણ માથા અને હાથે ઈજા થઈ હતી. તેમજ અર્જુન અને જેકી ઘાયલ થયા છે.

'મેરે હસબન્ડ કી બીવી' ક્યારે રિલીઝ થશે?

તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં અર્જુન કપૂર સાથે એક્ટ્રેસ ભૂમિ પેડનેકર પણ જોવા મળશે. તેમના લવ ટ્રાઈએન્ગલ વિશેની આ ફિલ્મ 2025 માં થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે બે દિવસ પહેલા એક્ટર સૈફ અલી ખાન પણ અકસ્માતનો ભોગ બન્યા હતા. એક વ્યક્તિએ તેના ઘરમાં ઘૂસીને અભિનેતા પર છરી વડે હુમલો કર્યો.

  • Follow us on: