- ભારતીય કોર્ટે પાકિસ્તાની કલાકારોના ભારતમાં કામ કરવા પર લગાવાયેલા પ્રતિબંધને હટાવી દીધો છે
- સોમી અલીની માફી મુદ્દે બિશ્નોઈ સમાજે કહ્યું, ભૂલ સલમાને કરી હતી સોમીએ નહીં
- બોલિવૂડના ત્રણે ખાન ફવાદ ખાન અને તેના જેવા બીજા પાકિસ્તાની કલાકારોથી ડરે છે: નાદિયા ખાન
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન, આમિર ખાન, અને શાહરુખ ખાનની ફેન ફોલોઇંગ માત્ર ભારત જ નહીં બલકે દુનિયાના ઘણા દેશોમાં છે. ત્રણે સુપરસ્ટારે પોતાની કરિયરમાં સારો-ખરાબ બંને સમય જોયા છે. પરંતુ એ વાતનો કોઈ ઇનકાર ન કરી શકે કે આ સુપરસ્ટાર્સ ઘણા દાયકાઓથી ઓડિયન્સને એન્ટરટેઇન કરી રહ્યા છે અને તેમને સિનેમાજગતને સતત બદલતા જોયા છે. એ વાતમાં બેમત નથી કે આજે પણ બોલિવૂડમાં શાહરુખ, સલમાન, અને આમિરનો મુકાબલો કરવો મુશ્કેલ છે. પરંતુ પાકિસ્તાની ટીવી એન્કર નાદિયા ખાનનું માનવું છે કે બોલિવૂડના ત્રણે ખાન ફવાદ ખાન અને તેના જેવા બીજા પાકિસ્તાની કલાકારોથી ડરે છે. તેના આ નિવેદનથી ફિલ્મજગતમાં હોબાળો થઈ ગયો છે. તમામ બાબતો પર સ્પષ્ટપણે પોતાનો મત રજૂ કરનારી પાકિસ્તાની ટીવી પ્રેઝન્ટર અને ઇન્ફ્લુઅન્સર નાદિયા ખાનને ઘણી વાર પોતાના વિચારોના કારણે ટ્રોલિંગનો સામનો કરવો પડે છે અને હવે ફરી એક વાર તેણે ટ્રોલ થવું પડયું છે. નાદિયાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે શાહરુખ, સલમાન, અને આમિર જેવા બોલિવૂડના ઘણા દિગ્ગજ સ્ટાર ફવાદ ખાન જેવા પાકિસ્તાની એક્ટરથી ડરે છે. નાદિયાએ કહ્યું કે ભારતીય સુપરસ્ટાર જાણે છે કે પાકિસ્તાની કલાકારોમાં કેટલું ટેલેન્ટ છે અને એ જ કારણે તેઓ પાકિસ્તાની એક્ટર્સ સાથે કામ કરવા નથી માગતા.
પાકિસ્તાની કલાકારો પરનો પ્રતિબંધ હટી ગયો છે










