• આર્યન કેસને લઇને વધશે વિવાદ
  • સમીર વાનખેડેના વકીલની કોર્ટમાં માંગણી
  • 20 જુલાઈએ આર્યન કેસમાં સુનાવણી થશે

બોમ્બે હાઈકોર્ટે બુધવાર, 5 જુલાઈએ કોર્ડેલિયા ક્રુઝ ડ્રગ્સ કેસ સાથે સંકળાયેલા લાંચ કેસમાં ચુકાદો આપ્યો હતો. IRS અધિકારી સમીર વાનખેડે કે જેઓ CBI ખંડણી અને લાંચ કેસમાં આરોપી છે, તેમને કોર્ટે તેમની અરજીમાં સુધારો કરવા અને વધુ વિગતો ઉમેરવાની મંજૂરી આપી છે. જેમાં લાંચ આપનાર સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સીબીઆઈએ આમાં તેમનું નામ પણ સામેલ કરવું જોઈએ.

ખરેખરમાં, સમીર વાનખેડે NCB એટલે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોમાં જનરલ ડિરેક્ટરના પદ પર હતા. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તેણે અને અન્ય ચાર આરોપીઓએ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન પાસેથી તેને કોર્ડેલિયા ક્રૂઝ કેસમાં ફસાવવા માટે 25 કરોડ રૂપિયાની લાંચ માંગી હતી. પરંતુ સોદો 18 કરોડ રૂપિયામાં નક્કી થયો હતો. ત્યારબાદ મે 2023 માં, વાનખેડેએ કેસ બંધ કરવા અને ધરપકડથી વચગાળાના રક્ષણની માંગણી કરીને હાઇકોર્ટમાં અરજી કરી.

સમીર વાનખેડેના વકીલની કોર્ટમાં માંગણી

હવે બુધવાર, 5 જુલાઈ, 2023ના રોજ, વાનખેડેના વકીલો આબાદ પોંડા, રિઝવાન મર્ચન્ટ અને સ્નેહા સનપે કોર્ટ પાસે અરજીમાં સુધારો કરવાની પરવાનગી માંગી. જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7, 7A અને 8 સાથે સંબંધિત વધારાના આધારનો સમાવેશ કરવા માટે અરજીમાં સુધારો કરશે. ઉપરાંત, જે વ્યક્તિએ સરકારી કર્મચારીને લાંચ આપવાનો પ્રયાસ કર્યો અથવા ઓફર કર્યો તેની સામે કાર્યવાહી થવી જોઈએ.

20 જુલાઈએ સુનાવણી થશે

જસ્ટિસ એએસ ગડકરી અને એસજી દેગેની ડિવિઝન બેન્ચે અરજીમાં સુધારાને મંજૂરી આપી હતી પરંતુ એમ પણ કહ્યું હતું કે તેઓ વધુ સુધારાને મંજૂરી આપશે નહીં. હવે આ અરજી પર સુનાવણી 20 જુલાઈએ થશે. ત્યાં સુધી સીબીઆઈએ આ સુધારેલી અરજીનો જવાબ આપવો પડશે. એટલું જ નહીં, કોર્ટે સમીર વાનખેડેની વચગાળાની સુરક્ષા પણ ત્યાં સુધી વધારી દીધી છે.

  • Follow us on: