- દેવોલિનાના મિત્ર અમરનાથ ઘોષની ગોળી મારીને હત્યા
- દેવોલીનાએ PM મોદી અને વિદેશ મંત્રી જયશંકર પાસે માંગી મદદ
- તેઓ તેના મિત્રના મૃતદેહને ભારત પરત લાવવામાં મદદ કરે:દેવોલીના
અભિનેત્રી દેવોલિના ભટ્ટાચારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે તેના મિત્ર અમરનાથ ઘોષની અમેરિકામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના 27 ફેબ્રુઆરી મંગળવારની સાંજે બની હતી. દેવોલીનાએ પોતાની પોસ્ટમાં PM મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકરને પણ ટેગ કર્યા છે. દેવોલિનાએ તેમને વિનંતી કરી છે કે તેઓ તેના મિત્રના મૃતદેહને ભારત પરત લાવવામાં મદદ કરે.
દેવોલીનાએ લખ્યું હતું કે, 'મારા મિત્ર અમરનાથ ઘોષની મંગળવારે સાંજે અમેરિકાની સેન્ટ લુઈસ એકેડમી પાસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પરિવારમાં તે એકલો જ હતો. 3 વર્ષ પહેલાં તેની માતાનું અવસાન થયું હતું અને પિતાનું બાળપણમાં જ અવસાન થયું હતું પરંતુ હજુ સુધી આરોપીઓ સામે આવ્યા નથી. તેના થોડા મિત્રો સિવાય તેના પરિવારમાં એવું કોઈ બચ્યું નથી જે તેના માટે લડી શકે. તે કોલકાતાનો રહેવાસી હતો.










