- સોનુંને વધતી તી ઊંચાઈને કારણે શોમાંથી હટાવી તેવી અફવા
- ઝીલે કહ્યું કે તેને તેની ઊંચાઈના કારણે શોમાંથી દૂર કરવામાં આવી નથી
- મારે મારા અભ્યાસ પર કેન્દ્રિત કરવું હતું એટલા માટે તારક મહેતા શો છોડ્યો
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 16 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. 2008થી ચાલી રહેલ આ શોને દર્શકો હજુ પણ પસંદ કરે છે. છેલ્લા બે વર્ષથી સતત વિવાદોને કારણે અસિત મોદીની આ સિરિયલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. પરંતુ આ વિવાદોએ ક્યારેય શોની ટીઆરપી પર કોઈ અસર કરી નથી. તારક મહેતાની 16 વર્ષની સફરમાં ઘણા કલાકારોએ શોને અલવિદા કહી દીધું છે. શો છોડવા પાછળ કેટલાક લોકોના પોતાના અંગત કારણો હતા અને કેટલાક કલાકારોએ પ્રોડક્શન સાથેના મતભેદોને કારણે શો છોડી દીધો હતો. હાલમાં જ સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ફેમસ કેરેક્ટર 'સોનુ'ને લઈને એક સમાચાર વાયરલ થઈ રહ્યા છે.










