સંગીત ઉદ્યોગમાંથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. પ્રખ્યાત ગાયિકા ગાયત્રી હજારિકાનું નિધન થયું છે. ગાયિકા ગાયત્રી હજારિકાએ ખૂબ જ નાની ઉંમરે આ દુનિયાને અલવિદા કહ્યુ છે. આસામી ગાયિકા ગાયત્રી હજારિકાના નિધન પર સંગીત ઉદ્યોગ શોકમાં છે. પોતાના અવાજથી દરેકના હૃદયને સ્પર્શી જનાર ગાયત્રી હજારિકાનું 44 વર્ષની ઉંમરે અવસાન થયું છે. ગાયિકાને કેન્સર હતું. અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયુ છે.


કોલોન કેન્સરથી થયું ગાયિકાનું મૃત્યુ

ગાયત્રી હજારિકા લાંબા સમયથી કોલોન કેન્સરથી પીડાઈ રહી હતી. ગુવાહાટીની હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. હવે હોસ્પિટલ તરફથી ડોક્ટરનું નિવેદન પણ બહાર આવ્યું છે. ડોક્ટરે જણાવ્યું છે કે ગાયિકા ગાયત્રી હજારિકા આ ​​હોસ્પિટલમાં કેન્સરની સારવાર કરાવી રહ્યા હતા. ગાયત્રીને આ હોસ્પિટલમાં 3 દિવસ માટે દાખલ કરવામાં આવ્યા હતા. ગઈકાલે તેમને ICUમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં આજે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સંગીત જગત હાલ શોકમગ્ન છે. હવે લોકો સોશિયલ મીડિયા પર ગાયકને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે.

આસામના મુખ્યમંત્રીએ આપી શ્રદ્ધાંજલિ

 

આસામી ગાયિકા ગાયત્રી હજારિકાના નિધન પર માત્ર સેલિબ્રિટી જ નહીં. નેતાઓ પણ શોક વ્યક્ત કરતા જોવા મળ્યા છે. લોકો કહે છે કે તેમની ખાલી જગ્યા કોઈ ભરી શકશે નહીં. તેમના નિધનથી સંગીત ઉદ્યોગમાં એક ખાલીપો સર્જાયો છે. 

  • Follow us on: