- ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન અણબનાવના સમાચાર હેડલાઇન્સમાં
- છૂટાછેડાના સમાચાર વચ્ચે ઐશ્વર્યા-અભિષેક બચ્ચનના જૂના વીડિયો વાયરલ
- 'હું ઐશ્વર્યા રાયનો ઉપકાર ક્યારેય નહીં ભૂલુ': અભિષેક બચ્ચન
ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન બોલિવૂડના સૌથી લોકપ્રિય કપલમાંથી એક છે. હાલમાં, ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે અણબનાવના સમાચાર હેડલાઇન્સમાં છે. આ બંને અનંત અંબાણી અને રાધિકાના લગ્નમાં અલગ-અલગ પહોંચ્યા હતા, ત્યારબાદ તેમના અલગ થવાની અફવાઓ વધુ તેજ થઈ ગઈ છે.
આ પછી અભિષેકે છૂટાછેડાની પોસ્ટ પણ લાઈક કરી હતી, ત્યાર પછી કપલના છૂટાછેડાની અફવાઓએ વધુ વેગ પકડ્યો હતો. છૂટાછેડાના સમાચાર વચ્ચે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના જૂના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
કપલના છૂટાછેડાની અફવાઓ ચર્ચામાં
તમને જણાવી દઈએ કે અભિષેક બચ્ચને વર્ષ 2007માં પૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય સાથે લગ્ન કર્યા હતા. હાલમાં અભિષેક બચ્ચનનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે તેની પત્ની ઐશ્વર્યા રાય વિશે વાત કરતો જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે 2007માં લગ્ન પહેલા અભિષેક અને ઐશ્વર્યાએ 2 વર્ષ સુધી ડેટ કરી હતી. આ પછી અભિષેકે તેની ન્યૂયોર્ક ટ્રીપ દરમિયાન અભિનેત્રીને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.
'હું મારી પત્ની ઐશ્વર્યા રાય પાસેથી આત્મવિશ્વાસ વધારવાનું શીખ્યો છું'
અભિષેક બચ્ચને આપેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે કે તેણે પોતાની પત્ની ઐશ્વર્યા રાય પાસેથી આત્મવિશ્વાસ વધારવાનું શીખ્યા છે. અભિનેતાએ કહ્યું કે તેનામાં આત્મવિશ્વાસનો ઘણો અભાવ છે. અભિષેક બચ્ચને કહ્યું હતું- હું પરિવારનો લાડકો પુત્ર છું. બહેન શ્વેતાના લગ્ન ઘણા વર્ષો પહેલા થયા હતા. લગ્ન ન થાય ત્યાં સુધી તે મારી રક્ષા કરતી હતી. મારી કોઈ જવાબદારી નહોતી.
'હું ઐશ્વર્યા રાયનો ઉપકાર ક્યારેય નહીં ભૂલુ ': અભિષેક
અભિષેક બચ્ચને એક ઈન્ટરવ્યુમાં કહ્યું- લગ્ન કર્યા પછી મને સમજાયું કે હવે મારે એક જવાબદાર વ્યક્તિ બનવું છે. મારે મારા પરિવારનું ધ્યાન રાખવું પડશે અને તેમનું રક્ષણ કરવું પડશે. આ મામલે ઐશ્વર્યાએ મને ઘણી મદદ કરી. તેણે મને જીવન સાદગીથી જીવવાનું શીખવ્યું. અભિષેક બચ્ચને કહ્યું- હું ઐશ્વર્યાનો ઉપકાર ક્યારેય નહીં ભૂલી શકું કે તેણે મને જીવનની ઘણી સરળ ટીપ્સ શીખવી જે મારા માટે મદદરૂપ સાબિત થઈ રહી છે.
ઐશ્વર્યા રાય બચ્ચન પરિવાર સાથે નથી રહેતી
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન હવે બહુ ઓછા પ્રસંગોએ સાથે જોવા મળતા હોય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઐશ્વર્યા હવે તેની પુત્રી સાથે મુંબઈમાં તેના માતા-પિતાના ઘરે રહે છે. અને તે ઘણા સમય પહેલા જલસા છોડી ચૂકી છે. જો કે તે કેટલાક ખાસ પ્રસંગોએ બચ્ચન પરિવાર સાથે જોવા મળતી હોય છે, પણ પરિવારે ઐશ્વર્યાને નજરઅંદાજ કરી છે.