• જયાએ અમિતાભ સાથેના રોમેન્ટિક સંબંધોનો કર્યો ખુલાસો
  • અમિતાભ બચ્ચનમાં રોમેન્ટિક હાવભાવનો અભાવ: જયા બચ્ચન
  • હું પહેલીવાર અમિતાભને મળી ત્યારે ખતરો લાગ્યો હતો: જયા

જયા બચ્ચને અમિતાભ બચ્ચનનો હાથ ત્યારે પકડ્યો હતો જ્યારે તેઓ બોલીવુડના મોટા સ્ટાર નહોતા. બંનેએ પરિવારની સહમતિથી લવ મેરેજ કર્યા હતા પરંતુ થોડા સમય બાદ અમિતાભ બચ્ચનનું નામ અભિનેત્રી રેખા સાથે જોડાયું હતું. 

બચ્ચન પરિવારનો ઘરકંકાસ હવે જગજાહેર થઈ ગયો છે અને ચોતરફ આ અંગે વિવિધ ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે હવે એક જૂના ઈન્ટરવ્યુમાં જયા બચ્ચને અમિતાભ બચ્ચનમાં રોમેન્ટિક હાવભાવનો અભાવ દર્શાવ્યો હતો અને કહ્યું હતું કે તેઓ મુશ્કેલીથી વાત કરતા હતા.

જયાએ અમિતાભ સાથેના રોમેન્ટિક સંબંધોનો કર્યો ખુલાસો

અમિતાભ બચ્ચન ફેમિલી મેન છે. જયા બચ્ચન સાથેના લગ્નને લગભગ 50 વર્ષ થઈ ગયા છે. દરેક વ્યક્તિ તેમના સંબંધોના વખાણ કરે છે જો કે તેમના સંબંધોએ ફેન્સમાં પણ ઉત્સુકતા જગાવી છે. આ કપલ 1998માં સિમી ગ્રેવાલના શો 'રેન્ડેઝવસ વિથ સિમી ગ્રેવાલ'માં જોવા મળ્યું હતું જ્યાં જયાએ અમિતાભ સાથેના તેના રોમેન્ટિક સંબંધો વિશે જણાવ્યું હતું.

જ્યારે સિમીએ અમિતાભને પૂછ્યું હતુ કે શું તેઓ પોતાને રોમેન્ટિક માને છે તો તેમણે તરત જ જવાબ આપ્યો, 'ના.' તો બીજી તરફ જયાએ હસીને કહ્યું હતું કે, 'મારી સાથે નહીં.' જયાની વ્યંગાત્મક ટિપ્પણીએ અમિતાભને આશ્ચર્યચકિત કરી દીધા હતા. પરિસ્થિતિ ગંભીર બને એ પહેલા જયાએ હસીને કહ્યું કે, 'મેં મુશ્કેલી શરૂ કરી છે.'

અમિતાભને જણાવ્યો રોમેન્ટિક બનવાનો અર્થ

સિમીએ પછી અમિતાભને પૂછ્યું કે તેમને શું લાગે છે કે રોમેન્ટિક બનવાનો અર્થ શું છે. જયાએ કહ્યું હતું કે તેમાં પાર્ટનર માટે વાઇન અને ફૂલ લાવવા જેવા હાવભાવ સામેલ છે. જોકે, અમિતાભે તરત જ આ વિચારને ફગાવી દીધો અને કહ્યું હતું કે, 'મેં આવું ક્યારેય કર્યું નથી.'

જયા બચ્ચને અનુમાન કર્યું હતું કે કદાચ અમિતાભની ગર્લફ્રેન્ડ હોત તો તે વધુ રોમેન્ટિક હોત પરંતુ તેણીને તેના પર શંકા હતી. તેણે કહ્યું કે, 'કદાચ તેની કોઈ ગર્લફ્રેન્ડ હોત તો તેણે આવું કર્યું હોત પણ મને એવું નથી લાગતું.'

અમિતાભના ડેટિંગ અંગે ખુલાસો

સિમીએ જયાને પૂછ્યું હતું કે શું અમિતાભ જ્યારે ડેટિંગ કરતા હતા ત્યારે ક્યારેય રોમેન્ટિક થયા હતા. જયાએ કહ્યું કે, 'અમે ક્યારેય વાત કરી નથી.' સિમીની આશ્ચર્યજનક પ્રતિક્રિયા જોઈને જયાએ વિગતવાર સમજાવ્યું. અમિતાભે તેમની સરળ શૈલીમાં ટિપ્પણી કરી હતી કે, 'આ સમયનો ભારે બગાડ છે.'

જયાએ કહ્યું હતું કે જ્યારે તે પહેલીવાર અમિતાભને મળી ત્યારે તેને ખતરો લાગ્યો હતો. તે ડરી ગઈ હતી કારણ કે અમિતાભ એકમાત્ર એવા વ્યક્તિ હતા જે તેને એવી રીતે પ્રભાવિત કરી શકે છે જે અન્ય લોકો કરી શકતા નથી. તેણીએ કહ્યું હતું કે, 'જો તે હળવાશથી કંઈક કહે તો પણ હું તે જ કરીશ. હું ખુશ કરવા માંગુ છું.

  • Follow us on: