- આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવની બ્રેન સર્જરી થઈ
- સદગુરુની હાલત જોઈને પરેશાન થઈ કંગના રનૌત
- મને અસ્તિત્વની અસ્થાયીતાનો અહેસાસ થયો: કંગના રનૌત
આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવની બ્રેન સર્જરી થઈ છે.સદગુરુ છેલ્લા 4 અઠવાડિયાથી માથાના દુઃખાવાથી પીડાઈ રહ્યા હતા. ત્યાર બાદ 17 માર્ચે દિલ્હીની એપોલો હોસ્પિટલમાં તેમના બ્રેનની સર્જરી કરવામાં આવી હતી.
બ્રેનની સર્જરી બાદ સદગુરુ જગ્ગી વાસુદેવનો એક વીડિયો સંદેશ સામે આવ્યો છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે સર્જરી બાદ પણ તેમની હાલત સારી છે. કંગના રનૌત તેમની હાલત જોઈને પરેશાન થઈ ગઈ હતી.
કંગનાએ ચિંતા વ્યક્ત કરી
કંગનાએ ચિંતા વ્યક્ત કરતી એક પોસ્ટ કરી છે. જેમાં તેણે લખ્યું છે કે, આજે જ્યારે સદગુરુ જીને ICUમાં જોયા તો મને અસ્તિત્વની અસ્થાયીતાનો અહેસાસ થયો આવો મેં પહેલાં ક્યારેય વિચાર્યું ન હતું કે તેઓ આપણા જેવા જ હાડકાં, લોહી અને માંસના બનેલા છે.' કંગનાએ આગળ લખ્યું હતું કે, 'મને લાગ્યું કે ભગવાન ચાલ્યા ગયા છે, ધરતી હલી ગઈ છે, આકાશ ચાલ્યું ગયું છે, મને લાગે છે કે મારું માથું ઘૂમી રહ્યું છે, હું આ વાસ્તવિકતાને સમજી શકતી નથી અને તેના પર વિશ્વાસ કરી શકતી નથી હું તે કરવા માંગુ છું.'
સદગુરુની હાલત જોઈને ભાંગી પડી કંગના
કંગનાએ વધુમાં કહ્યું કે હું આનાથી ભાંગી પડી છું, હું સદગુરુના લાખો ભક્તો સાથે મારું દર્દ શેર કરવા માંગુ છું, હું મારી જાતને કાબૂમાં રાખી શકતી નથી. અભિનેત્રીએ વધુમાં કહ્યું કે તે સારી રીતે સ્વસ્થ થઈ જાય નહીંતર સૂર્યોદય નહીં થાય, દુનિયા નહીં ચાલે...
તમને જણાવી દઈએ કે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જગ્ગી વાસુદેવ સાથે વાત કરી અને તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરી હતી. આધ્યાત્મિક ગુરુ વાસુદેવને માથામાં ગંભીર રક્તસ્રાવ થતાં દિલ્હીની ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમના મગજની ઈમરજન્સી સર્જરી કરવામાં આવી હતી.