• મૃત્યુના 3 કલાક પહેલા સતીશ કૌશિક સાથે ફોન પર વાતચીત:અનુપમ ખેર 
  • તેમની તબિયત સારી નહતી તેથી મે હોસ્પિટલમાં દાખલ થવા કહ્યું
  • મારી અને સતીશ કૌશિકની પહેલી મુલાકાત 1975માં એક ડ્રામા સ્કૂલમાં થઈ

એક્ટર સતીશ કૌશિક વર્ષ 2023માં બધાને રડતા-રડતા છોડી ગયા હતા. 9 માર્ચે હાર્ટ એટેકથી તેમનું અવસાન થયું હતું. નજીકના મિત્ર અનુપમ ખેર સમયાંતરે સતીશ કૌશિકને યાદ કરતા રહે છે. સતીશ કૌશિકના મૃત્યુ બાદ અનુપમ ખેરે તેમના પરિવારની સંભાળ લીધી અને તેમની પુત્રીની પણ દેખરેખ રાખી હતી. હાલ જ અનુપમ ખેરે સતીશ કૌશિક સાથેની તેમની પ્રથમ મુલાકાતની વાર્તાને યાદ કરી અને સતીશ કૌશિકના મૃત્યુના ત્રણ કલાક પહેલા થયેલી છેલ્લી વાતચીત પણ શેર કરી હતી.

અનુપમ ખેરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે મૃત્યુના 3 કલાક પહેલા સતીશ કૌશિક સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. તે દરમિયાન સતીશ કૌશિકે અનુપમ ખેરને કહ્યું હતું કે તેમની તબિયત સારી નથી. ત્યારબાદ અનુપમે તેમને હોસ્પિટલમાં દાખલ થવા કહ્યું હતું.

મૃત્યુના પહેલા સતીશ કૌશિકની અનુપમ ખેર સાથે વાતચીત

અનુપમ ખેરે જણાવ્યું હતું કે તેમણે સતીશ કૌશિકને કહ્યું હતું કે તેઓ જઈને હોસ્પિટલમાં દાખલ થાય. જાણે તમે કોઈ રિસોર્ટમાં જઈ રહ્યા હોવ તેમ જાઓ. પરંતુ સતીશ કૌશિકે કહ્યું કે તેઓ સવારે જશે પરંતુ અનુપમ ખેરે તેમને તાત્કાલિક હોસ્પિટલ જવાનું કહ્યું હતું. તેણે સતીશ કૌશિકને કહ્યું હતું કે, 'તમે હમણાં જ હોસ્પિટલમાં જાઓ. ત્યાં સૂઈ જાઓ અને આરામ કરો. એવું ન વિચારો કે તમે હોસ્પિટલમાં જઈ રહ્યા છો. ફાઈવ સ્ટાર હોટેલમાં જવાની કલ્પના કરો.

અનુપમ ખેરની સતીશ કૌશિક સાથેની પ્રથમ મુલાકાતની કહાની

અનુપમ ખેર અને સતીશ કૌશિકની પહેલી મુલાકાત 1975માં એક ડ્રામા સ્કૂલમાં થઈ હતી. તેમની પ્રથમ મુલાકાતની ઘટનાને યાદ કરતાં અનુપમ ખેરે કહ્યું હતું કે, 'અમે 1975માં એક ડ્રામા સ્કૂલમાં મળ્યા હતા. હું ત્યાં બેઠો હતો અને તે આવીને મારી બાજુમાં બેઠો. મેં તેને પૂછ્યું કે તમે અહીં કેમ બેઠા છો? તે સમયે હું 19-20 વર્ષનો હતો અને ઈચ્છતો હતો કે કોઈ છોકરી મારી સાથે બેસે. મેં તેને પૂછ્યું કે તું અહીં બેસીશ તો મને શું મળશે? તો સતીશે કહ્યું કે હું હોસ્ટેલમાં રહેતો નથી. હું અહીંનો સ્થાનિક રહેવાસી છું અને તમને ખાવા માટે પરાઠા મળશે.

સતીશ કૌશિકની છેલ્લી ફિલ્મ હવે રિલીઝ થઈ 

અનુપમ ખેરે કહ્યું હતું કે ભલે સતીશ આ દુનિયામાં નથી પરંતુ તેઓ તેમની સાથે છે. સતીશ કૌશિક અને અનુપમ ખેરે પણ સાથે ઘણી ફિલ્મો કરી હતી. અનિલ કપૂર પણ તેમના સારા મિત્ર હતા. હવે દિવંગત અભિનેતાની છેલ્લી ફિલ્મ 'કાગજ 2' પણ રિલીઝ થવા જઈ રહી છે.

  • Follow us on: