• નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા લાંબા સમયથી તેમના સંબંધોને લઈને ચર્ચામાં
  • નતાશાએ તેના ઇન્સ્ટાગ્રામ પરથી હાર્દિક સાથેની તસવીરો ડિલીટ કરી દીધી હતી
  • આ જ તસવીરો ફરી એકવાર નતાશા સ્ટેનકોવિકના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જોવા મળી

અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા લાંબા સમયથી તેમના સંબંધોને લઈને ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી છે કે આ કપલ જલ્દીથી છૂટાછેડા લઈ શકે છે. બંને ઘણા મહિનાઓથી અલગ રહેતા હતા. આ સમાચારોએ બંને સ્ટાર્સના ફેન્સનું દિલ તોડી નાખ્યું હતું. હવે નતાશાએ કંઈક એવું કર્યું છે કે જેને જાણીને ફેન્સ ખુશીથી ઉછળી રહ્યાં છે. હકીકતમાં ઘણા દિવસોથી એવી ચર્ચા હતી કે નતાશાએ તેના ઇન્સ્ટાગ્રામ પરથી હાર્દિક સાથેની તસવીરો ડિલીટ કરી દીધી હતી. જોકે, અભિનેત્રીએ તે તસવીરો ડિલીટ કરી ન હતી જેમાં દંપતીનો પુત્ર અગસ્ત્ય પણ તેમની સાથે હતો.

આ જ તસવીરો ફરી એકવાર નતાશા સ્ટેનકોવિકના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આવવા લાગી છે જેમાં તે તેના પતિ હાર્દિક પંડ્યા સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતી જોવા મળી રહી છે. આમાંથી કેટલીક તસવીરો કપલના લગ્નની છે જ્યારે કેટલીક તસવીરોમાં બંને પ્રેમભરી પળો વિતાવતા જોઈ શકાય છે.

આ કારણે અફવાઓ આવવા લાગી

તમને જણાવી દઈએ કે અભિનેત્રીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ જોયા બાદ નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાના અલગ થવાના સમાચાર આવવા લાગ્યા હતા. તેના એકાઉન્ટને જોઈને અનુમાન લગાવવામાં આવ્યું હતું કે કદાચ તેણીને હાર્દિક સાથે કોઈ તકરાર થઈ રહી છે. હકીકતમાં અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે નતાશાએ તેની ઇન્સ્ટા પ્રોફાઇલમાંથી તેના પતિની અટક હટાવી દીધી છે. તેમજ તસવીર પણ ડીલીટ કરી દેવામાં આવી છે. થોડી જ વારમાં આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા હતા.

છૂટાછેડાના સમાચાર પર પ્રતિક્રિયા ન આપી 

થોડા દિવસો પહેલા નતાશા સ્ટેનકોવિક તેના નજીકના મિત્ર એલેક્ઝાન્ડર એલેક્સ ઇલિક સાથે જાહેર સ્થળે જોવા મળી હતી. તે દરમિયાન જ્યારે અભિનેત્રીને છૂટાછેડાના સમાચાર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જવાબ આપવાનો ઇનકાર કર્યો અને 'થેન્ક્યું' કહીને જતી રહી હતી. આ પછી ચાહકો એ જાણવા માટે બેતાબ હતા કે શું નતાશા અને હાર્દિકના ખરેખર છૂટાછેડા થઈ રહ્યા છે? આ દરમિયાન નતાશાના એક પગલાએ ચાહકોના દિલમાં આશાનું કિરણ જગાવી દીધું છે. હવે એવી ચર્ચા છે કે કદાચ કપલ વચ્ચે બધુ બરાબર છે.

હાર્દિક પંડ્યાએ પોતાના દિલની વાત કહી

તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યાએ પોતાના દિલની સ્થિતિ જણાવી હતી. ક્રિકેટરે કહ્યું હતું હતું કે 'ક્યારેક જીવન આપણને એવી પરિસ્થિતિઓમાં મૂકે છે જ્યાં વસ્તુઓ ખૂબ મુશ્કેલ બની જાય છે. હું મારી નિષ્ફળતાઓથી ડરતો નથી અને હું તેને બહુ ગંભીરતાથી લેતો નથી. મેં કોઈ સારું કામ કર્યું હોય તો હું તરત જ ભૂલી જાઉં છું. હું આગળ વધી રહ્યો છું અને મુશ્કેલ સમયનો સામનો કરું છું.' તમને જણાવી દઈએ કે હાર્દિક પંડ્યાએ સ્ટાર સ્પોર્ટ્સ સાથે વાત કરતા આ વાતોનો ઉલ્લેખ કર્યો હતો. હવે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ક્રિકેટરના આ શબ્દો સાંભળીને કદાચ નતાશા સ્ટેનકોવિકનું દિલ પીગળી ગયું છે.

  • Follow us on: