બોલીવુડ સુપરસ્ટાર આમિર ખાન ફરી એકવાર ચર્ચામાં છે, પરંતુ આ વખતે કારણ તેની કોઈ ફિલ્મ નહીં, પરંતુ તેની પર્સનલ લાઇફ છે. હાલમાં રિયાલિટી ક્વિઝ શો કૌન બનેગા કરોડપતિ સીઝન 18નો નવો પ્રોમો રિલીઝ થયો છે. આ પ્રોમો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર આમિર ખાનને લઈને લોકોની પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. કમેન્ટ સેક્શનમાં લોકો તેના ત્રીજા લગ્નને લઈને મજાક કરી રહ્યા છે અને મસ્તી કરી રહ્યા છે.

બંટવારા 1947નું પ્રમોશન કરવા પહોંચ્યા આમિર ખાન

કૌન બનેગા કરોડપતિ 18ના આ ખાસ એપિસોડમાં આમિર ખાન સાથે બોલીવુડ એક્ટર સની દેઓલ અને એક્ટ્રેસ પ્રીતિ ઝિંટા પણ જોવા મળશે. ત્રણેય કલાકારો અમિતાભ બચ્ચન સાથે હોટસીટ પર બેસીને શોની રોનક વધારશે. ત્રણેય કલાકારો ફિલ્મ બંટવારા 1947નું પ્રમોશન કરવા માટે KBCના મંચ પર પહોંચ્યા છે. આ ફિલ્મ 14 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. ફિલ્મને લઈને દર્શકોમાં સારો માહોલ છે, પરંતુ પ્રોમો સામે આવતાં જ ફેન્સનું ધ્યાન ફિલ્મ પરથી હટીને આમિર ખાનની પર્સનલ લાઇફ તરફ ગયું.

વાયરલ પ્રોમોમાં શું છે?

KBC 18નો જે પ્રોમો વીડિયો સામે આવ્યો છે, તેમાં આમિર ખાન શોના હોસ્ટ અમિતાભ બચ્ચનને સવાલ કરતા જોવા મળે છે. આમિર પૂછે છે કે આ વખતે સીઝનની થીમ સોચના પડેગા કેમ રાખવામાં આવી છે. આમિર કહે છે, તમે પ્રોમોમાં કહ્યું છે કે સોચના પડેગા, તો શું વિચારવું પડશે? તેના પર અમિતાભ બચ્ચન પોતાના દમદાર અંદાજમાં જવાબ આપે છે. બિગ બી કહે છે કે આ સીઝનમાં વસ્તુઓ એટલી સરળ નહીં હોય, કારણ કે હવે દરેક સવાલ બાદ કન્ટેસ્ટન્ટ્સે ઊંડાણથી વિચારવું પડશે. તેના પર આમિર ખાન હસતાં-હસતાં સહમત થાય છે અને કહે છે, સોચના પડેગા સર... ખરેખર સોચના પડેગા.
https://www.instagram.com/reel/DbxpyvjnZNI/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

કમેન્ટ સેક્શનમાં ટ્રોલર્સે કરી મજાક

પ્રોમોમાં આમિર ખાન અને અમિતાભ બચ્ચન વચ્ચેની આ વાતચીત ખૂબ મજેદાર લાગી રહી છે, પરંતુ સોશિયલ મીડિયા યુઝર્સને ટ્રોલ કરવા માટે નવું કારણ મળી ગયું. કમેન્ટ સેક્શનમાં અનેક લોકો આમિર ખાનના લગ્નને લઈને મજાક કરવા લાગ્યા. હાલમાં જ આમિર ખાને ત્રીજી વાર લગ્ન કર્યા છે, તેથી નેટિઝન્સે પ્રોમોના બહાને તેની પર્સનલ લાઇફ પર અનેક કમેન્ટ્સ કર્યા.

Aamir Khan KBC 18 (2)

એક યુઝરે મજાક કરતાં લખ્યું, અમિતાભજીએ આમિરને પૂછવું જોઈએ કે તેઓ ચોથા લગ્ન ક્યારે કરી રહ્યા છે? જ્યારે બીજા યુઝરે કમેન્ટ કરી, શું આમિર અહીં પોતાના લગ્ન વિશે વાત કરવા આવ્યા છે? કેટલાક યુઝર્સે તો KBCની થીમ સોચના પડેગાને પણ આમિરના લગ્ન સાથે જોડી દીધા. એક યુઝરે મજાક કરતાં લખ્યું, ત્રીજા લગ્ન બાદ આમિરને હવે ખરેખર વિચારવું પડશે. સોશિયલ મીડિયા પર આવા અનેક કમેન્ટ્સ વાયરલ થઈ રહ્યા છે, જેમાં લોકો આમિરની પર્સનલ લાઇફને લઈને અલગ-અલગ પ્રકારની મજાક કરી રહ્યા છે.

ગૌરી સ્પ્રૈટ સાથે આમિર ખાનની ત્રીજા લગ્ન 

આમિર ખાને 5 જુલાઈ 2026ના રોજ ગૌરી સ્પ્રૈટ સાથે લગ્ન કરી છે. આ લગ્ન મુંબઈના બાંદ્રામાં આવેલા આમિરના ઘરે ખૂબ જ સાદી અને ખાનગી રીતે થયા હતા. બંનેએ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ કોર્ટ મેરેજ રજિસ્ટર કરાવી હતી. ગૌરી સ્પ્રૈટ સાથેની આ આમિર ખાનની ત્રીજા લગ્ન છે.

આ પણ વાંચો-Tollywood Actor : કરોડોનું ઘર અને લક્ઝરી કાર, સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુની નેટવર્થ જાણી દંગ રહી જશો!