નતાશા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે. હાર્દિક પંડ્યાથી છૂટાછેડા બાદ તે ફેન્સ સાથે તેના જીવન સાથે જોડાયેલી તમામ બાબતો શેર કરતી રહે છે. ક્યારેક તે પોતાના કામ માટે કંઈક લખે છે તો ક્યારેક તે પોતાના દિકરા અગસ્ત્ય માટે પોસ્ટ શેર કરે છે. ત્યારે હવે અભિનેત્રીએ દુ:ખ અને આજના સમયમાં આવી રહેલા સમાચાર વિશે પોસ્ટ કરી છે.

નતાશાએ ભગવાનને યાદ કર્યા

નતાશાએ ભગવાનને પણ યાદ કર્યા છે અને લખ્યું છે કે, તે સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. ઘણા લોકો તેને હાર્દિક સાથે જોડી રહ્યા છે તો ઘણા તેને અમદાવાદ વિમાન દુર્ઘટના જેવી ઘટનાઓ સાથે જોડી રહ્યા છે. હાર્દિક પંડ્યા અને નતાશાના છૂટાછેડા થયા બાદ નતાશા તેના જીવનમાં આગળ વધી ગઈ છે. તેણી એકલા હાથે પોતાના દિકરાનો ઉછેર કરી રહી છે.

નતાશાએ કરી ઈમોશનલ પોસ્ટ

અભિનેત્રીએ લખ્યું છે કે, દુનિયામાં શું થઈ રહ્યું છે તે જોઈને ખરેખર દુઃખ થાય છે. મારું હૃદય દુખી થઈ રહ્યું છે અને મારી પાસે શબ્દો નથી કે હું એટલી તૂટી ગઈ છું તેનું વર્ણન કરી શકું. દરેક હેડલાઈન ઘા જેવી લાગે છે અને છતાં આપણે આગળ વધી રહ્યા છીએ પરંતુ અંદર કંઈક દિવસે દિવસે તૂટી રહ્યું છે. આ તે દિવસો છે જેનો બાઈબલમાં ઉલ્લેખ છે. હૃદય ફરીથી ઈસુ તરફ વળ્યું છે. પ્રાર્થના કરી રહી છે.


નતાશાની પોસ્ટ પર ફેન્સે આપી પ્રતિક્રિયા

ઘણા લોકો નતાશાની પોસ્ટને તેના અંગત જીવન સાથે જોડી રહ્યા છે જ્યારે ઘણા લોકો તેને આ સમયે દેશમાં બની રહેલી ઘટનાઓ સાથે જોડી રહ્યા છે. એક યુઝરે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, નતાશા મેડમ તમે ઠીક છો. તો બીજાએ લખ્યું કે, દુનિયામાં જે ચાલી રહ્યું છે તે ખરેખર ખૂબ જ પીડાદાયક છે. તો અન્ય એક યુઝર્સ કહી રહ્યો છે કે, નતાશાએ આ પોસ્ટ હાર્દિક પંડ્યા માટે બનાવી છે.

નતાશા અને હાર્દિક પંડ્યાના થયા છૂટાછેડા

નતાશા અને હાર્દિક પંડ્યાના લગ્ન વર્ષ 2020માં થયા હતા અને નતાશા લગ્ન પહેલા જ ગર્ભવતી થઈ ગઈ હતી. આ કપલે એક વાર નહીં પરંતુ 3 વાર અલગ અલગ રીતે લગ્ન કર્યા હતા પરંતુ થોડા વર્ષો બાદ બંને વચ્ચે અંતર આવી ગયું અને કપલે વર્ષ 2024માં ઈન્સ્ટાગ્રામ પર છૂટાછેડાની જાહેરાત કરી. હવે હાર્દિક પંડ્યાનું નામ બ્રિટિશ ગાયિકા જાસ્મિન વાલિયા સાથે જોડાયું છે અને નતાશા તેના કામ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે પરંતુ કેટલીકવાર તે પોસ્ટમાં તેના હૃદયની લાગણીઓ લખે છે જેને ફેન્સ સીધા તેના ભૂતપૂર્વ પતિ હાર્દિક પંડ્યા સાથે જોડે છે.

  • Follow us on: