અક્ષય કુમારની જગ્યાએ કાર્તિક આર્યન ભૂલ ભુલૈયા 2 અને ભૂલ ભુલૈયા 3માં ધૂમ મચાવી ચૂક્યો છે. હવે, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે ભૂલ ભુલૈયા 4 સાથે દર્શકો સમક્ષ ચોક્કસ પાછો ફરશે. જોકે તે હાલમાં તેના આગામી પ્રોજેક્ટ્સના શૂટિંગમાં વ્યસ્ત છે. દરમિયાન, વિદ્યા બાલન અને તબ્બુ ભૂલ ભુલૈયા 4માંથી બહાર થઈ ગઈ હોય તેવું લાગે છે. આનું કારણ એ છે કે નિર્માતાઓને એક નવી મંજુલિકા મળી ગઈ છે. અભિનેત્રીએ પોતે આ વાતનો ખુલાસો કર્યો છે.


ભૂલ ભુલૈયા 4 માં અનન્યા પાંડે

ભૂલ ભુલૈયા 4 માં મંજુલિકાનો નવો ચહેરો બીજું કોઈ નહીં પણ અનન્યા પાંડે છે. અનન્યા પાંડેએ 30 ઓક્ટોબરે પોતાનો 27મો જન્મદિવસ ઉજવ્યો. આ ખાસ પ્રસંગે તેણે પોતાના ઘણા ફોટા શેર કર્યા. ફોટામાં, અભિનેત્રી તેના પરિવાર અને નજીકના મિત્રો સાથે આનંદ માણતી જોવા મળી.

અનન્યાએ ઉજવણીની તસવીરો શેર કરી

ખુશીની ક્ષણની એક ઝલક શેર કરતાં અનન્યાએ લખ્યું, જન્મદિવસની ટ્રીટ...બેસ્ટ રહી. બધાના પ્રેમ અને શુભેચ્છા બદલ આભાર. ફેન્સને અભિનંદનનો વરસાદ વરસાવ્યો અને તેના સહ-કલાકાર કાર્તિક આર્યને પણ તેના મિત્ર માટે એક પોસ્ટ શેર કરી હતી. કાર્તિકે એક વીડિયો શેર કર્યો જેમાં તે અને અનન્યા મસ્તી કરતા જોવા મળે છે. આ વીડિયો તેઓની ફિલ્મ તુ મેરી મેં તેરા તુ મેરીના સેટ પરનો છે. 


કાર્તિક આર્યને કર્યો ખુલાસો

ક્લિપ પોસ્ટ કરતાં, કાર્તિકે તેને કેપ્શન આપ્યું, સૌથી નિઃસ્વાર્થ અનન્યાને જન્મદિવસની શુભકામનાઓ. શું જાહેરાત છે. ફેન્સે ભૂલ ભુલૈયા 4 નો તેનો રમતિયાળ ઉલ્લેખ તરત જ જોયો, કારણ કે અનન્યાએ મજાકમાં સૂચવ્યું હતું કે તે આગામી મંજુલિકા હોઈ શકે છે. કાર્તિકની પોસ્ટ સૂચવે છે કે અનન્યાએ મજાકમાં કહ્યું હતું કે તે ભૂલ ભુલૈયા 4 માં જોવા મળશે. પરંતુ જ્યારે લોકોએ આ જોયું, ત્યારે કાર્તિકે સત્ય જાહેર કર્યું.


  • Follow us on: