દર વર્ષની જેમ બોલીવુડ જગતમાં નવરાત્રીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન કાજોલ અને રાની મુખર્જીના પરિવારો પૂજા પંડાલમાં દેવી દુર્ગાની ભક્તિમાં ડૂબેલા જોવા મળ્યા હતા. બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી જયા બચ્ચન પણ આ પ્રસંગ માટે પંડાલમાં હાજર રહી હતી અને તેમણે તેમના કેટલાક ફોટા તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યા હતા. આ ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને ફેન્સ તરફથી આશ્ચર્યજનક પ્રતિક્રિયાઓ મળી રહી છે.
જયા બચ્ચનની આ પોસ્ટે હંગામો મચાવ્યો
હકીકતમાં ફોટામાં કાજોલ અને જયા બચ્ચન બંને હસતા અને ખુશ જોવા મળી રહ્યા છે. ફેન્સે એક ફોટો જોયો અને હંમેશા ગુસ્સામાં રહેતી જયા બચ્ચન પર સ્મિત જોઈને સોશિયલ મીડિયા પર ટિપ્પણીઓનો પ્રવાહ શરૂ થયો હતો.

જયા બચ્ચનને હસતી જોઈને ફેન્સે આપી પ્રતિક્રિયા
એક યુઝરે રમુજી રીતે ટિપ્પણી કરી હતી કે, શું જયા બચ્ચન હસતી જોવા મળી તો બીજાએ કહ્યું કે, ફક્ત કાજોલ જયા બચ્ચનને આટલી સરળતાથી હસાવી શકે છે. હંમેશા ગુસ્સામાં ફરતી જયા બચ્ચનને જોઈ લોકો સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે, આ ખરેખર જયા બચ્ચન છે અને હસતા ઈમોજી શેર કર્યા છે. સાથે જ આ તસવીર જોઈને ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે, શું આ તસવીર AIથી બનાવવામાં આવી છે તેથી જ જયા બચ્ચનને હસતી બતાવવામાં આવી છે.
ટુ મચ વિથ કાજોલ અને ટ્વિંકલ
કાજોલ હાલમાં તેના નવા ટોક શો ટુ મચ વિથ કાજોલ અને ટ્વિંકલ માટે સમાચારમાં છે. આ શોમાં ટ્વિંકલ ખન્ના જોવા મળશે જે અનેક સેલિબ્રિટીઝ સાથે ગપસપ કરતી જોવા મળશે. કાજોલ પ્રભુ દેવા દિગ્દર્શિત ફિલ્મ "મહારાગિની: ક્વીન ઓફ ક્વીન્સ" માં પણ જોવા મળશે જે તેના ફેન્સમાં ઉત્સાહ પેદા કરી રહી છે.