ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, સ્ટાર્સ માટે 60 વર્ષની ઉંમર પછી પ્રેમમાં પડવું અને સેટલ થવું સામાન્ય છે. આ લિસ્ટમાં આમિર ખાન અને કબીર બેદી જેવા સ્ટાર્સનો સમાવેશ થાય છે. આમિરે તેના 60મા જન્મદિવસે ગૌરી સ્પ્રેટ સાથેના તેમના સંબંધોનો ખુલાસો કર્યો. કબીર બેદીએ 70 વર્ષની ઉંમરે ચોથી વાર લગ્ન કર્યા. બોલીવુડની એક એક્ટ્રેસ જેની લવ સ્ટોરી ગજબ છે. તે 60 વર્ષની ઉંમરે સેટલ થઈ હતી. જોકે, તે પહેલાં, તે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી હતી અને ફેસબુક પર પ્રેમમાં પડી હતી.
લવસ્ટોરી લગ્ન જેટલી જ છે ઇન્ટરસ્ટીંગ
ટેલિવિઝનથી લઈને મોટા પડદા સુધી પોતાની અભિનય કુશળતા સાબિત કરી છે. તે બ્લોકબસ્ટર ફિલ્મ લગાનમાં આમિર ખાનની માતાની ભૂમિકા ભજવવા માટે જાણીતી છે. તે બીજું કોઈ નહીં પણ સુહાસિની મુલે છે, જે આજે પોતાનો 74મો જન્મદિવસ ઉજવે છે. 60 વર્ષની ઉંમરે સ્થાયી થઈને, તેણે સામાજિક રૂઢિપ્રથાઓને તોડી નાખી. તે તેના પતિ કરતા પાંચ વર્ષ મોટી છે. તેણે 2011 માં 65 વર્ષીય અતુલ ગુર્ટુ સાથે લગ્ન કર્યા. તેની પ્રેમકથા તેના લગ્ન જેટલી જ ઇન્ટરસ્ટીંગ છે. તે એકદમ ફિલ્મી છે.
20 વર્ષ સુધી કુંવારી રહી હતી સુહાસિની
સુહાસિની મુલેએ 60 વર્ષની ઉંમર સુધી લગ્ન કર્યા ન હતા. તેના પહેલા લગ્ન અતુલ સાથે થયા હતા, પરંતુ લગ્ન ન કરવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જોકે, એક રિપોર્ટ મુજબ, તે 1990 ના દાયકામાં લિવ-ઇન રિલેશનશિપમાં હતી, જે વિવિધ કારણોસર સમાપ્ત થઈ ગઈ. ત્યારબાદ, તે 20 વર્ષ સુધી સિંગલ રહી. તેની કારકિર્દી ફિલ્મો અને ટીવી શોમાં વ્યસ્ત રહી. એક ઈન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું કે, લગ્ન વિશે તેમનો વિચાર કેવી રીતે બદલાયા.
અતુલને ફેસબુક પર મળી હતી અભિનેત્રી સુહાસિની
અભિનેત્રીએ ખુલાસો કર્યો કે તેણે તેના પતિને ફેસબુક પર મળી હતી. તે સમયે, તેનું એકાઉન્ટ નહોતું કારણ કે તેને સોશિયલ મીડિયા પસંદ નહોતું. તે ખૂબ વ્યસ્ત હતી, તેની પાસે ઇમેઇલનો જવાબ આપવાનો સમય નહોતો. તેણે સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યું, અને વિચિત્ર રિક્વેસ્ટ આવવા લાગી હતી. તે આનાથી આશ્ચર્યચકિત થઈ ગઈ. પછી, એક દિવસ તેને એક ભૌતિકશાસ્ત્રી તરફથી રિક્વેસ્ટ આવી જેનાથી તેને ઇન્ટરસ્ટ જાગ્યો. તેઓએ તેમના વર્કની ચર્ચા કરી. સુહાસિનીએ કહ્યું કે અતુલની પહેલી પત્ની કેન્સરથી મૃત્યુ પામી હતી અને તેના જીવનમાં પરિવર્તન શોધી રહી હતી. તેમની વાતચીત દરમિયાન, અતુલે સુહાસિનીનો નંબર માગ્યો, પરંતુ તેણે ના પાડી કારણ કે તે તેને ફ્રોડ સમજતી હતી.
એક મેસેજ અને એક પત્રે સુહાસિનીનો વિચાર બદલી નાખ્યો
સુહાસિનીએ આગળ કહ્યું કે, અતુલે એક વાર તેને એક ઇમેઇલ મેસેજ મોકલ્યો હતો, જેનાથી તેનો તેના વિશેનો વિચાર બદલાઈ ગયો હતો. તેણે લખ્યું હતું કે, સંબંધો બાંધવા પડે છે, તે ફક્ત હવામાંથી બહાર આવતા નથી. પાછળથી, સુહાસિનીએ તેની પત્ની માટે લખેલો એક પત્ર વાંચ્યો. તેમાં વર્ણવવામાં આવ્યું હતું કે કેવી રીતે અતુલ અને તેની પત્નીએ તેના મૃત્યુ પહેલાં તેણી જે કંઈ કરવા માગતી હતી તે બધું પૂર્ણ કર્યું હતું અને તેની છેલ્લી ઇચ્છાઓ પૂર્ણ કરવામાં તેને સપોર્ટ આપ્યો હતો. આ સાંભળીને સુહાસિની પ્રભાવિત થઈ ગઈ, અને તેણે અતુલ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. આ રીતે તેમના લગ્ન થયા હતા.